ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે, કારણ કે અહીં રિવાજો, માન્યતાઓ, પરંપરાઓ વગેરે અમુક અંતરે જ બદલાય છે. આવી ઘણી પરંપરાઓ જોવા મળશે, જે ચોંકાવનારી છે. પરંતુ તમિલનાડુની પરંપરા સૌથી ચોંકાવનારી છે. જાણીને નવાઈ લાગશે કે અહીં બાળકો જ તેમના બીમાર અને વૃદ્ધ માતા-પિતાને મારી નાખે છે.
અહેવાલો અનુસાર, તમિલનાડુના દક્ષિણ ભાગોમાં થલાઈક્કુથલ નામની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. અહીં બાળકો તેમના વૃદ્ધ અને બીમાર માતા-પિતાને મારી નાખે છે. આ પ્રથાને અંગ્રેજીમાં 'સેનિસાઇડ' તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે વૃદ્ધોની હત્યા. આ પ્રથા ગરીબી અને પરંપરાનું મિશ્રણ છે. આ પરંપરામાં, જે વૃદ્ધ લોકો મૃત્યુની આરે છે અથવા કોમામાં છે તેમની હત્યા કરવામાં આવે છે. અંતિમ શ્વાસ લઈ રહેલા વૃદ્ધોને મારવા માટે પહેલા તેમને તેલથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેમને પીવા માટે નારિયેળ પાણી આપવામાં આવે છે. ત્યાર બાદ તુલસીનો રસ અને પછી દૂધ આપવામાં આવે છે. આ સમગ્ર પીણું મૃત્યુ પહેલાનું પીણું માનવામાં આવે છે. આ રીતે તેમના શરીરનું તાપમાન ઝડપથી ઘટી જાય છે, તેમને શરદી થાય છે અથવા તેમને હાર્ટ એટેક આવે છે, જે મૃત્યુ તરફ દોરી શકે છે.
આ ઉપરાંત તેમને મુરુક્કુ નામની ખારી જલેબી જેવી વાનગી આપવામાં આવે છે જે સખત હોય છે. તે ગળામાં ફસાઈ જાય છે, જેના પછી તેનું મૃત્યુ થાય છે. એટલું જ નહીં કેટલાક વડીલોને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. તેમના મુજબ મારવાની સૌથી યોગ્ય રીત એ છે કે વૃદ્ધ માણસના પેટને અસર પહોચાડવી. તેમને પીવા માટે માટી મિશ્રિત પાણી આપવામાં આવે છે. જેના કારણે પેટમાં ગડબડ થાય છે અને અર્ધ-મૃત શરીર મરી જાય છે. આ તમામ ધાર્મિક વિધિઓ દરમિયાન જ અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થાય છે.
લોકોનું માનવું છે કે આ પ્રથા પહેલાના જમાનામાં વધુ થતી રહી છે, કારણ કે તે જમાનામાં લોકો વૃદ્ધોની સંભાળ લેવા માટે ઘરે હાજર રહેતા હતા પણ ઈલાજ વ્યવસ્થિત થતો ન હતો. આ પ્રથા માટે, ફક્ત એવા વૃદ્ધ લોકોની પસંદગી કરવામાં આવતી હતી જેઓ મૃત્યુના આરે છે, પથારી પર પડેલા છે અને પીડાય રહ્યા છે, પરંતુ તેમનો જીવ બહાર આવતો નથી. જો કે, કાનૂની દ્રષ્ટીએ આ પ્રથા એક ગુનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech