આમ આદમી પાર્ટી (AAP) એ પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ માટે કેન્દ્ર સરકાર પાસે સરકારી આવાસની માંગણી કરી છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પંચના નિયમોને ટાંકીને કેજરીવાલ માટે આવાસની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, કોઈપણ વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી આવાસ આપવામાં આવે.
રાઘવ ચઢ્ઢાએ કહ્યું, 'ચૂંટણી પંચના નિયમો હેઠળ કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીને બે સંસાધનો આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય કાર્યાલય પ્રથમ નંબરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરને સરકારી આવાસ પણ આપવામાં આવે છે. તેથી અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સરકારી આવાસ મળવું જોઈએ.
અગાઉ ગાઝિયાબાદના કૌશામ્બીમાં રહેતા હતા કેજરીવાલ
ડિસેમ્બર 2013માં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનતા પહેલા કેજરીવાલ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેનમાં સ્થિત મકાનમાં રહેતા હતા. ફેબ્રુઆરી 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી, તેઓ ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતેના નિવાસસ્થાને રહેવા ગયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં યુવાનને ઢીકા-પાટુનો માર માર્યો
June 07, 2025 01:20 PMમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગરમાં: ૪૩૦ કરોડના કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ
June 07, 2025 01:16 PMજોડીયાના તારાણા ગામ પાસે ટ્રકની હડફેટે યુવાનનું મોત
June 07, 2025 01:12 PMઅલીયા ગામનો શખ્સ જામનગર જીલ્લામાંથી હદપાર
June 07, 2025 01:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech