આપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે

  • September 20, 2024 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



આમ આદમી પાર્ટી (AAP) એ પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ માટે કેન્દ્ર સરકાર પાસે સરકારી આવાસની માંગણી કરી છે. AAP નેતા રાઘવ ચઢ્ઢાએ ચૂંટણી પંચના નિયમોને ટાંકીને કેજરીવાલ માટે આવાસની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, કોઈપણ વિલંબ કર્યા વિના રાષ્ટ્રીય પાર્ટી AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સરકારી આવાસ આપવામાં આવે.




રાઘવ ચઢ્ઢાએ કહ્યું, 'ચૂંટણી પંચના નિયમો હેઠળ કોઈપણ રાષ્ટ્રીય પાર્ટીને બે સંસાધનો આપવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય કાર્યાલય પ્રથમ નંબરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનરને સરકારી આવાસ પણ આપવામાં આવે છે. તેથી અમે કેન્દ્ર સરકાર પાસે માંગ કરીએ છીએ કે રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સરકારી આવાસ મળવું જોઈએ.




અગાઉ ગાઝિયાબાદના કૌશામ્બીમાં રહેતા હતા કેજરીવાલ



ડિસેમ્બર 2013માં પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રી બનતા પહેલા કેજરીવાલ ગાઝિયાબાદના કૌશામ્બી વિસ્તારમાં રહેતા હતા. મુખ્યમંત્રી તરીકે તેઓ મધ્ય દિલ્હીમાં તિલક લેનમાં સ્થિત મકાનમાં રહેતા હતા. ફેબ્રુઆરી 2015ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવ્યા પછી, તેઓ ઉત્તર દિલ્હીના સિવિલ લાઇન્સ વિસ્તારમાં 6, ફ્લેગસ્ટાફ રોડ ખાતેના નિવાસસ્થાને રહેવા ગયા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application