જામનગર સહિત સૌરાષ્ટ્રની સોની બજારોમાં કચ્છ પોલીસના નામે ઉઘરાણાં

  • April 18, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર, રાજકોટ, જેતપુર સહિતની સોની બજારોમાં વેપારીઓને ટોળકીએ ચોરેલો ચેઈન તમારી દુકાને વેંચ્યો છે, પોલીસથી બચવું હોય તો પૈસા આપો.. આ પ્રકારના કૉલ કચ્છ પોલીસના નામે કરીને ઉઘરાણાં કરતી ટોળકી સક્રિય બની હોય તેવા એંધાણો સામે આવી રહ્યાં છે અને આ મામલે ઝવેરીઓને આવા ઠગોથી સાવધાન રહીને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.


જાણવા મળતી વિગત મુજબ રાજકોટની સોની બજાર ઉપરાંત જામનગર અને જેતપુરની સોની બજારમાં કચ્છ પોલીસના નામે ઉઘરાણાં કરતાં ફોન શરૂ થયાં છે જેમાં ટોળકી પકડાઈ છે તેણે ચોરેલા દાગીના તમારી દુકાને વેંચ્યા છે માટે બચવું હોય તો આટલાં પૈસા મોકલાવો તેમ કહીને વેપારીઓને પરેશાનીમાં મૂકી ઉઘરાણાં કરવામાં આવી રહ્યાં છે.


એવી પણ વિગતો જાણવા મળે છે કે, સામે છેડેથી ઝવેરીઓને આ પ્રકારના ફોન કરનાર કચ્છથી પીએસઆઈ બોલું છું, અહીં એક છોકરો અને મહિલા ચોરીમાં પકડાયાં છે અને તેણે તમારી દુકાને દાગીના વેંચ્યા છે, કાયદાકીય પ્રક્રિયાથી બચવું હોય તો પૈસા કચ્છ મોકલી આપજો, આવી દાટી મારવામાં આવે છે. રાજકોટ ઉપરાંત જામનગર અને જેતપુર સોની બજારમાં પણ આ પ્રકારના ફોન રણકી ઉઠ્યાં હોવાનું જાણવા મળે છે.


માટે આવા ઠગબાજોથી બચવા અને સાવધાન રહેવું જરૂરી છે અને જો કોઈ આ પ્રકારનો કૉલ આવે તો પોલીસનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application