જામનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૨મી જન્મ જયંતિની હર્ષભેર ઉજવણી

  • April 14, 2023 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ.ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતિ નિમિત્તે આજે લાલ બંગલા સર્કલ ખાતે આવેલ બાબાસાહેબની પ્રતિમા પર મોટી સંખ્યામાં મહાનુભાવોએ ઉપસ્થિત રહીને હારતોરા કર્યા હતાં અને દેશની આ વિભૂતિને નમન કર્યા હતાં. ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા,  જામજોધપુરના ‘આપ’ના ધારાસભ્ય હેમંતભાઈ ખવા,   મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડૉ.વિમલ કગથરા, જિલ્લા પ્રમુખ રમેશ મુંગરા, શાસક પક્ષના નેતા કુસૂમબેન પંડ્યા, કોર્પોરેટરો ગોપાલ સોરઠિયા, નિલેશ કગથરા, લાલજીભાઈ સોલંકી, સામતભાઈ પરમાર ઉપરાંત કોંગ્રેસના માજી ધારાસભ્ય વિક્રમ માડમ, શહેર પ્રમુખ દીગુભા જાડેજા, જિલ્લા પ્રમુખ જીવણભાઈ કુંભરવડિયા, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સહારાબેન મકવાણા, જામ્યુકોના વિપક્ષી ધવલ નંદા, રચના નંદાણિયા, રંજનબેન ગજેરા, યુવા કોંગી પ્રમુખ ડૉ.તૌસિફખાન પઠાણ, ભરતભાઈ વાળા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ, સુભાષ ગુજરાતી, દીપુભાઈ પારિયા સહિતના અગ્રણીઓએ ડૉ.આંબેડકર સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application