- રાંચીની સિવિલ કોર્ટે ગુજરાતી એક્ટ્રેસ સામે કર્યુ વોરંટ જારી
- રાંચીના બિઝનેસમેન પાસેથી ફિલ્મ બનાવવા પૈસા લઇ ઠગાઇ
બ્લોકબસ્ટર ફિલ્મ કહો ના પ્યાર હેથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરનાર અને ગદર સહિત કેટલીક સુપરહિટ ફિલ્મો આપનાર અભિનેત્રી અમીષા પટેલ મુશ્કેલીમાં મૂકાઇ છે. સુંદર ચહેરો આકર્ષક ફીગર અને સારો અભિનય છતાં બોલીવૂડમાં કાયમી સ્થાન જમાવી શકેલી અમીષાને વર્ષો બાદ ગદર 2 મળી અને જેનું શુટિંગ ચાલુ છે. ત્યાં રાંચી સિવિલ કોર્ટે તેની સામે વોરંટ જારી કર્યું છે. આ મામલો છેતરપિંડી અને 2.5 કરોડ રૂપિયાની લેવડદેવડ સાથે સંબંધિત છે.
રાંચીના અરગોડામાં રહેતા અજય કુમાર સિંહે 17 નવેમ્બર 2018ના રોજ CGM કોર્ટમાં ફરિયાદ કરી હતી. અજય કુમાર સિંઘ વ્યવસાયે ઉદ્યોગપતિ અને ફિલ્મ નિર્માતા છે અને પોતે ઘણી મુખ્ય વેબ સિરીઝ અને અન્ય આલ્બમ્સમાં ભૂમિકા ભજવી ચૂક્યો છે.
બિહારના ભોજપુર જિલ્લાના બખોરાપુરમાં જન્મેલા અજય સિંહે તેનું બાળપણ ગામમાં અને યુવાની રાંચીમાં વિતાવી હતી. તેના પિતા રાંચીમાં જ પોલીસ વિભાગમાં તૈનાત હતા. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે રાંચીમાં બિઝનેસ શરૂ કર્યો હતો પરંતુ તેની તમન્ના બોલીવૂડમાં સ્થાન મેળવવાની હતી. વર્ષ 2017માં રાંચીની હરમુ હાઉસિંગ કોલોનીમાં ડિજિટલ ઈન્ડિયા પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અજય સિંહ અને અમીષા પટેલ મુખ્ય મહેમાન તરીકે સ્ટેજ પર સાથે બેઠા હતા.
આ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી. ત્યાં જ ફિલ્મ નિર્માતા અજયને ફિલ્મમાં પૈસા રોકવાની ઓફર મળી હતી, જેના પછી અજયે અમીષાના ખાતામાં 2.5 કરોડ રૂપિયાનો ચેક ટ્રાન્સફર કર્યો હતો. અભિનેત્રી અમીષાએ દેશી મેજિક ફિલ્મના નિર્માણના નામે અજય પાસેથી પૈસા લીધા હતા પરંતુ ફિલ્મ આજ સુધી બની શકી નથી.
અજયે તેના પૈસા પાછા માંગ્યા ત્યારે અમીષા પટેલે ખૂબ જ ઉદ્ધતતા સાથે 1 કરોડનો ચેક આપ્યો હતો જે બાઉન્સ થયો હતો. આ પછી અજય સિંહે રાંચી સ્થિત સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેના પર હજુ સુનાવણી ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ વખતે અમીષા પટેલ કોર્ટમાં પહોંચે છે કે નહીં.
મૂળે ગુજરાતી અમીષા પટેલ માટે કહેવાય છે કે તેણે પિતા સામે પણ કેસ કર્યો હતો. તેના સ્વભાવને કારણે જ કદાચ ફિલ્મોમાં તેને ટોચનું સ્થાન મળી શક્યું નથી એવું માનવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech