કેશોદ થી માંગરોળ તરફ જવાનાં માર્ગમાં ચાદીગઢ નાં પાટીએ થી આગળ મામલતદાર કચેરી તરફ જતાં આખલો આડો પડતાં અકસ્માત સર્જાયો હતો જેમાં હમીદખાન જમાલખાન બેલીમ ઉંમર વર્ષ ૬૦ રહેવાસી નાંદરખી ને ઈજાઓ પહોંચી હતી.
તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ૧૦૮ દ્વારા કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ત્યારે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેશોદના નગરપાલિકા વિસ્તારમાં આખલાઓ અને નધણીયાતા રખડતાં ભટકતાં ઢોરથી શહેરીજનો પીસાઈ રહ્યાં છે.
ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી જેનાં કારણે નિદોર્ષ વાહનચાલકો અને રાહદારીઓ ઝપટે ચડી જતાં ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે ત્યારે જવાબદાર તંત્ર કોઈ નિર્દોષ શહેરીજન પોતાનો જીવ ગુમાવે તેવી રાહ જોતાં હશે કે કેમ એ તો આવનારાં દિવસોમાં ખબર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમરેલીના બસપોર્ટમાં એરપોર્ટ જેવી સુવિધા: મુખ્યમંત્રી દ્રારા લોકાર્પણ
September 20, 2024 02:26 PMયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech