BREAKING NEWS

વાવાઝોડાના કારણે બે ડિસે.ની રામેશ્વરમની એક્સપ્રેસ ટ્રેન રદ

  • November 29, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ભારત સાગર તટ ઉપર વાવાઝોડાની ચેતવણી ઉપરાંત રામેશ્વરના પમ્બન બ્રિજ પર પવનની ગતિ ૫૮ કિમી પ્રતિ કલાકની ઝડપે હોવાને કારણે, મુસાફરો અને રેલવેની સંપત્તિની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવેએ કેટલીક ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે. તેમાં હવામાનની ઉપરોક્ત વિપરીત પરિસ્થિતિને કારણે રામેશ્વરથી ઉપડીને બીજી ડિસેમ્બરે સૌરાષ્ટ્રમાં પહોંચતી નં.૧૬૭૩૩ ઓખા- રામેશ્વરમ સાપ્તાહિક એક્ષપ્રેસ ટ્રેન તા. ૨૮. ૧૧. ૨૦૨૫ના રોજ રામેશ્વરથી રવાના કરી શકાઇ નથી. તેથી ઓખા ખાતે રેક ઉપલબ્ધ નહિ થવાને કારણે નં.૧૬૭૩૪ ઓખા- રામેશ્વરમ એક્સપ્રેસ ટ્રેન તા. ૨. ૧૨. ૨૦૨૫ના રોજ ઉપડી શકશે નહીં આથી રદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application