રાજકોટ: ક્ષત્રિય આંદોલનમાં ભાજપ નેતાની ભૂમિકાની ચર્ચાઓ વચ્ચે ભરત બોઘરાએ કહી દિધી આ મોટી વાત

  • April 08, 2024 07:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્ષત્રિય આંદોલનમાં ભાજપની ભુમિકાની ચર્ચાઓ પર ઉપાધ્યાક્ષ ભરત બોઘરાએ ખુલાસો કરી દિધો છે. તેમણે જણાવ્યું હતુ કે, મને અને રાજકોટ શહેરના કોઇ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી, મારી કોઇ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.


ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલ આંદોલનમાં ભાજપના નેતાનો હાથ હોવાની ચોતરફ ચર્ચા ચાલી રહી હતી. તેની વચ્ચે આજે ઉપાધ્યાક્ષ  ભરત બોઘરાએ સૌથી મોટો ખુલાસો કરી દિધો છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતુ કે, રાજકોટના દરેક આગેવાન કાર્યકર્તાઓ રૂપાલા સાહેબને જીતાડવા પ્રયત્ન કરી રહ્યા છે, મને અને રાજકોટ શહેરના કોઇ કાર્યકર્તાને પ્રદેશનો ખુલાસો પૂછવામાં આવ્યો નથી. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, મારી કોઇ વાત સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું.


ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતુ કે, વિરોધ પક્ષના લોકો અને હિતક્ષત્રુઓ ખોટી રીતે નામ ઉછાળી રહ્યા છે. મને કોઇ જવાબદારીમાંથી મુક્ત કર્યા નથી. અમારા એકપણ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી. ક્ષત્રિય આંદોલન અંગે અમારા પ્રયત્ન ચાલુ છે. અમને વિશ્વાસ છે આ આંદોલન પુરૂ થઇ જશે. ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application