ખંભાળિયામાં આજે ગાયત્રી ગરબા મંડળ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ

  • June 14, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાની જાણીતી ધાર્મિક સેવા સંસ્થા શ્રી ગાયત્રી ગરબા મંડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


જે અંતર્ગત અહીંની જૂની લોહાણા મહાજન વાડી પાસે આવેલા શ્રી સિકોતર માતાજીના મંદિર ખાતે આજરોજ શુક્રવાર તારીખ 14 ના રોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને રાહત દરે ફુલ સ્કેપ (ચોપડા)નું વિતરણ કરવામાં આવશે. જેનો લાભ લેવા વિદ્યાર્થીઓને ગાયત્રી ગરબા મંડળના આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application