ભાવનગરના શાંતિનાથ એપાર્ટમેન્ટનાં બે રહેણાંકના મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • September 01, 2023 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ@team

બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘોલા દિવસે રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણાં ઉઠાવી નાસી છૂટયા


ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં આવેલ

શાંતિનાથ એપાર્ટમેન્ટનાં બે રહેણાંકના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું બંધ મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી દના ચાંદી નાં ઘરેણા રોકડા રૂપિયાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી 


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તાર ખાતે આવેલા શાંતિનાથ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુકેશભાઈ ધીરજલાલ જસાણીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મુકેશભાઈ તા.૩૧/૦૮/૨૦૨૩ ના સવારના અગીયારેક વાગ્યે ઘરે તાળુ મારીને સાગર કોમ્પલેક્ષ માં આવેલ ઓફીસે કામ કરવા ગયેલ હતા.અને બાદ બપોરના પોણા બે વાગ્યા આસપાસ ઘરે પરત આવતા ઘરનું તાળુ તુટેલ હાલતમાં હતુ.અને ઘરનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો.જેથી ઘરમાં જઈને તપાસ કરતા ઘરના બેડરૂમમાં રહેલ લાકડાના બંન્ને કબાટ ખુલ્લી હાલતમાં હતા. 


કબાટમાં રહેલ સામાન બેડરૂમમાં રહેલ લાકડાની સેટી ઉપર વેર વિખેર હાલતમાં પડેલ હતો,અને કબાટમાં તપાસ કરતા કબાટમાં રાખેલ રોકડા રૂપીયા ૧,૦૦,૦૦૦ તથા એક સોનાનો ચેઈન ,સોનાની વીંટી ની ચોરી કરી બાજુમાં રહેતા કુણાલભાઈ જગદીશભાઈ મહેતા નાં રહેણાંકના મકાનમાં તસ્કરો એ પ્રવેશી રોકડા રૂપીયા ૧૧,૦૦૦  તથા ચાંદીના સિક્કા નંગ-૪ ની ચોરી કરી નાસી છૂટયા હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application