આજકાલ@team
બંધ મકાનના તાળા તોડી તસ્કરો ઘોલા દિવસે રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણાં ઉઠાવી નાસી છૂટયા
ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તારમાં આવેલ
શાંતિનાથ એપાર્ટમેન્ટનાં બે રહેણાંકના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું બંધ મકાનના દરવાજાના તાળા તોડી ઘરમાં પ્રવેશી દના ચાંદી નાં ઘરેણા રોકડા રૂપિયાની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ડોન ચોક વિસ્તાર ખાતે આવેલા શાંતિનાથ એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુકેશભાઈ ધીરજલાલ જસાણીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મુકેશભાઈ તા.૩૧/૦૮/૨૦૨૩ ના સવારના અગીયારેક વાગ્યે ઘરે તાળુ મારીને સાગર કોમ્પલેક્ષ માં આવેલ ઓફીસે કામ કરવા ગયેલ હતા.અને બાદ બપોરના પોણા બે વાગ્યા આસપાસ ઘરે પરત આવતા ઘરનું તાળુ તુટેલ હાલતમાં હતુ.અને ઘરનો દરવાજો ખુલ્લી હાલતમાં હતો.જેથી ઘરમાં જઈને તપાસ કરતા ઘરના બેડરૂમમાં રહેલ લાકડાના બંન્ને કબાટ ખુલ્લી હાલતમાં હતા.
કબાટમાં રહેલ સામાન બેડરૂમમાં રહેલ લાકડાની સેટી ઉપર વેર વિખેર હાલતમાં પડેલ હતો,અને કબાટમાં તપાસ કરતા કબાટમાં રાખેલ રોકડા રૂપીયા ૧,૦૦,૦૦૦ તથા એક સોનાનો ચેઈન ,સોનાની વીંટી ની ચોરી કરી બાજુમાં રહેતા કુણાલભાઈ જગદીશભાઈ મહેતા નાં રહેણાંકના મકાનમાં તસ્કરો એ પ્રવેશી રોકડા રૂપીયા ૧૧,૦૦૦ તથા ચાંદીના સિક્કા નંગ-૪ ની ચોરી કરી નાસી છૂટયા હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશરાબની રેલમછેલ: પાંચ દરોડામાં ૧૧૯૫ બોટલ દારૂ ઝડપાયા
September 20, 2024 03:18 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:17 PMપોરબંદરમાં પ્રથમ વખત માત્ર દારૂનો જ નહીં, તેના ખોખાનો પણ કરાયો નાશ!
September 20, 2024 03:17 PMપોપટપરામાં કૃષ્ણનમાં રાત્રીના વીજ પોલ નીચે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા
September 20, 2024 03:15 PMઆણંદપરમાં શાળામાંથી ૧૬ હજારની ૨૫ નળની ચોરી થઈ ગયાની ફરિયાદ
September 20, 2024 03:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech