વાવાઝોડાના કારણે બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. લાખો રૂપિયા ની નુકશાની,કેળાના પાકને નુકસાન થયું છે. વાવાઝોડાના કારણે કેળ જમીન દોસ્ત થયા છે. હવે ખેડૂતો સરકાર ક્યારે મદદ કરશે તેના પર મીટ માંડીને બેઠા છે.
ચોમાસાની શરુઆત થાય તે પહેલા ગુજરાતમાં બીપરજોય વાવાઝોડાએ અને કમોસમી વરસાદની સ્થિતિના કારણે સૌથી વધુ ફટકો ખેડૂતોને પડી રહ્યો છે. આવામાં હળવદ તાલુકામાં થયેલા વાવાઝોડાના કારણે બાગાયત પાકને નુકસાન થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વાવાઝોડું અને કમોસમી વરસાદ ખેડૂતો માટે કહેર બનીને આવ્યું છે. જેના કારણે તેમનો તૈયાર થયેલો પાક જમીન દોસ્ત થતા ખેડૂતોને માઠી અસર પડી રહી છે.
હળવદ પંથકના વિસ્તારમાં થોડા દિવસ પહેલા આવેલું વાવાઝોડું એવું તો ભયાનક હતું કે, આ વિસ્તારના ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. પોતાના જીવનમાં આવું વાવાઝોડું જોયું નથી તેવી ખેડૂતોનું કહેવું છે. આ ભયાનક વાવાઝોડાએ ખાસ કરી ને બાગાયતી ખેતી કરતા ખેડૂતો કે જેમણે કેળાની ખેતી કરી છે તેમના ખેતરો પર એવું તો ત્રાટક્યું કે તેમણે મહામુસીબતે કરેલ ખેતીની ઉપજ જમીન દોસ્ત થઈ ગઈ છે.
ખાસ કરીને કેળાના ખેતી કરતા ખેડૂતો કે જેમને ટૂંક સમય ઉપજ લેવાની હતી પણ હાલ કફોડી હાલત બની છે. ઘણાં બાગાયતી પાકને એવું નુકસાન થયું છે કે તેમની મહેનત અને ખર્ચ એળે ગયો હોય તેવી સ્થિત બની છે. કેળની ખેતીમાં આખી વર્ષ મહેનત કર્યા પછી મહેનતનું વળતર મળશે તેવી આશા બંધાઈ હતી પણ જાણે કુદરત રૂઠી હોઈ તેમ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે.
હળવદ તાલુકાના શક્તિનગર પાસે આવેલ બાગાયતી ખેતી કરતા કિશોરભાઈ પટેલ અને પ્રફુલભાઈ વાછાણી ખેડૂતના કહેવા પ્રમાણે અહી વાવાઝોડાને કારણે કેળા પાકને વાવાઝોડા ના કારણે નુકસાન થયું છે.ખેડૂતોના કહેવા મુજબ કેળના પાકના વાવેતર માટે ૬૦ થી ૭૦ હજારનો ખર્ચ વીઘા માં થતો હોઈ છે જ્યારે હાલ પાક લેવાનો સમય હતો અંદાજે ખેડુતોને એક વિઘામાં એક થી દોઢ લાખ જેટલી ખેડૂતને જે નુકસાની થઈ છે તેને લઈ સરકાર વધુ નહિ પણ થોડી ગણી પણ સહાય આપે તો તેઓ બેઠા થઈ શકે છે.એક તરફ બાગાયતી અને રોકડ્યા ખેતી તરફ વળવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે. પણ જ્યારે કુદરતી આફત ને લઈ ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે તને વળતર માટે વલખા મારવા પડી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેના કારણે બાગાયતી પાક તરફ વળેલા ખેડૂતોને હવે ભવિષ્ય અંગે ડર સતાવી રહ્યો છે.
ખાસ કરી ને બાગાયતી ખેતી કરતા ખેડૂતો ને જે વાવાઝોડાથી નુકસાન થયું છે જેના કારણે તેઓ પાયમાલ બની ગયા છે. બચત કરેલ મૂડી પણ રહી નથી ત્યારે ખેડૂતો સરકાર સમક્ષ સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી એક આશા રાખી ને બેઠા છે કે સરકાર તેમને મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૈન મહિલાઓ સંચાલિત ગૃહઉદ્યોગ-વ્યવસાય-વેપારનું ભવ્ય પ્રદર્શન અને વેચાણ
September 20, 2024 12:15 PMજેતપુર પાસે છકડો રીક્ષામાં દેશી દારૂ ના જથ્થા સાથે એક પકડાયો
September 20, 2024 12:14 PMગોંડલમાં બંધ મકાનને નિશાન બનાવી ઘરેણા-રોકડ સહિત 46 હજારની ચોરી
September 20, 2024 12:13 PMગોંડલમાં પતિ સહિત સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો ઝેર પી આપઘાત
September 20, 2024 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech