ગોંડલમાં રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જે અંગે પરિણીતાના પિતાએ તેણીના પતિ સહિતના સાસરિયાઓ સામે દીકરીને મરવા મજબૂર કયર્િ અંગે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના રાય ગામમાં રહેતા ક્રિષ્નાભાઈ મહિપતભાઈ સીરતુરે(ઉ.વ 59) દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેમની દીકરી કુસુમબેનના પતિ નિરવ હિતેશભાઈ પંડ્યા (રહે ગોમટા તા. ગોંડલ) તથા જેઠ અમિત પડીયા, જેઠાણી શીતલ, નણંદ ભાવિશા, સસરા હિતેશભાઈ પડીયા, સાસુ નીલાબેન અને કાકાજી સસરા સુરેશભાઈ પડીયા(રહે. બધા ગોંડલ) ના નામ આપ્યા છે.
ક્રિષ્નાભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં પાંચ પુત્રી અને બે પુત્ર છે જેમાં કુસુમ ઉર્ફે કાજલ (ઉ.વ 28) ના લગ્ન ગત તારીખ 30/07/2020 ના ગોંડલમાં નાની બજારમાં રહેતા નીરવ હિતેશભાઈ પડિયા સાથે થયા હતા. લગ્નના એકાદ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ કુસુમને તેના પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપવા લાગ્યા હતા. ઘરના સભ્યો ખાવાનું પણ આપતા ન હોય પતિ અવારનવાર મારકુટ કરતો હતો તેમજ જેઠ અમિત કુસુમનો સામાન ઘરમાંથી બહાર ફેંકી દેતો હતો. સાસુ અવારનવાર તેના દીકરાને કુસુમ સાથે સંબંધ તોડી નાખવાનું કહેતી હતી અને તેની ચઢામણી કરતી હતી તેમજ કોઈ કપડા કે ચીજ વસ્તુઓ લેવા દેતા ન હતા અને છૂટાછેડા લેવા માટે દબાણ કરતા હતા. છેલ્લા એક વર્ષથી કુસુમ અને તેનો પતિ નિરવ અલગ ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. પતિ રાશન લાવતો નહીં અને તે તેના માતા પિતાના ઘરે જમી લેતો હતો. ગત તારીખ 10/9/2024 ના કુસુમને પતિએ ઘરમાંથી કાઢી મુકતા 181 માં ફોન કર્યો હતો બાદમાં તારીખ 11/9 ના સાસરીયા વિરુદ્ધ ગોંડલ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી.
દરમિયાન ગત તારીખ 13/ 9 ના સાંજના ચારેક વાગ્યા આસપાસ કુસુમે પિતાને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, મને મારા ઘરવાળા બહુ હેરાન કરે છે મને ત્રણ દિવસથી ઘરની બહાર રાખી છે તમે મને તેડી જાવ જેથી તેના પિતા મધ્યપ્રદેશથી અહીં દીકરીને તેડવા માટે નીકળ્યા હતા. તેઓ સુરત અન્ય દીકરીના ઘરે પહોંચ્યા હતા દરમિયાન તારીખ 13/9 ના સાંજના કુસુમના જેઠ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે કુસુમે ઝેરી દવા પી લીધી છે અને તેને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરી છે બાદમાં કુસુમના પિતા અને પહોંચતા આ સમયે અમિતે કહ્યું હતું કે, તમારી દીકરી નાટક કરે છે તેમજ સાસરીયાઓ પણ એક બે દિવસ રોકાયા બાદ ચાલ્યા ગયા હતા.
સારવાર દરમિયાન તારીખ 19/9 ના રોજ કુસુમનું મોત થયું હતું. બાદમાં આ બાબતે તેણીના પિતાએ દીકરીને મરવા મજબૂર કયર્િ અંગે કુસુમના પતિ સહિતના સાસરિયાઓ સામે આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech