૩૬ જેસીબી, ૫૦થી વધુ ટ્રેક્ટર, પાંચ હિટાચી ૧૦ ડમ્પર અને ૧૬૦૦ પોલીસનો કાફલો ત્રાટક્યો
કલેકટર, આઈજી, ત્રણ એસપીએ વહેલી સવારથી તોડકામ શરુ કર્યું: હજારો મીટર જમીન ખુલ્લી કરાવી : એક ધાર્મિક સ્થળ પર એકઠા થયેલા 70 જેટલા લોકોની અટકાયત
સોમનાથ મંદિર નજીક ગુજરાતમાં અત્યારસુધીનું સૌથી મોટું મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ જેટલા ચોક્કસ ધર્મના ધર્મસ્થાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે અને તે ઉપરાંત સરકારી જમીનમાં થયેલા હજારો ચોરસ મીટર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જ્યાં ગેરકાયદેસર વસાહતો-મકાનોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી માટે તંત્ર દ્વારા 36થી વધુ જેસીબી, 50થી વધુ ટ્રેક્ટર, 05 હિટાચી મશીન, 10 ડમ્પર સહિતની મશીનરી ઉપયોગમાં લેવાઈ છે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે 1200થી વધુ પોલીસ જવાનોને તહેનાત કરાયા છે.સોમનાથના ઈતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન
સોમનાથ મંદિર નજીક ગીર સોમનાથના ઈતિહાસમાં તંત્રનું મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે. અહીં ત્રણ જેટલા ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આ મેગા ડિમોલિશન દરમિયાન જિલ્લા કલેક્ટર, આઈજી , 3 એસપી, 6 ડીવાયએસપીનો કાફલો હાજર રહ્યો હતો. . સાથે 50 પીઆઈ-પીએસઆઈ, 1200 જેટલા પોલીસ જવાનોનો જડબેસલાક બંદોબસ્ત તૈનાત કરી દેવાયા છે. ગત મોડી રાતથી તંત્ર દ્વારા ડિમોલેશનની તૈયારી હાથ ધરવામાં આવી હતી. જેની જાણ થતાં જ તંત્રની તૈયારીના પગલે હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
આજે વહેલી સવારે 05 વાગ્યે તંત્રએ સોમનાથ અને તેની આસપાસના વિસ્તારમાં ડીમોલેશન શરૂ કર્યું હતું. જેમાં 05 હિટાચી મશીન, 30 જેસીબી, 50 ટ્રેકટર, 10 ડમ્પરથી કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત પણ કરાઈ છે. ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન છે. પોલીસ દ્વારા પણ સાવચેતીના પગલા તરીકે ડિમોલિશન સ્થળ પર લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સોમનાથ સર્કલ અને ભીડીયા સર્કલ પરથી અવરજવર બંધ કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech