જસ્ટિન ટ્રુડોના શાસનમાં કેનેડા ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ કટોકટી કેટલી મોટી છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે કેનેડામાં રહેતા ૨૫ ટકા માતા–પિતા તેમના બાળકોને પૂરતો ખોરાક આપવા માટે તેમના ખોરાકમાં ઘટાડો કરી રહ્યા છે. એક સંસ્થાના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે કેનેડિયનો આવાસ, નોકરીઓ અને મોંઘવારી મામલે સૌથી ખરાબ સંકટનો સામનો કરી રહ્યા છે.
નોન–પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન સાલ્વેશન આર્મીએ આજે પોતાનો રિપોર્ટ જાહેર કર્યેા હતો. આ મુજબ ૯૦ ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેઓએ અન્ય પ્રાથમિકતાઓ માટે નાણાં બચાવવા માટે કરિયાણા પરનો ખર્ચ ઘટાડો છે. આ સમસ્યાને ઓછી કરવા માટે ટ્રુડો સરકાર કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ પર ગુડસ એન્ડ સર્વિસ ટેકસમાં મુકિતની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે યારે કેનેડામાં ફડ બેંકો અછતનો સામનો કરી રહી છે. તેમાંથી કેટલાકે આંતરરાષ્ટ્ર્રીય વિધાર્થીઓને પરત મોકલવાનું નક્કી કયુ છે, જેમાં ભારતીયો પણ સામેલ હોઈ શકે છે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સમાધાન કર્યા વિના દેશના ઘણા લોકો માટે જીવવું મુશ્કેલ બન્યું છે. આ અહેવાલ જસ્ટિન ટ્રુડો માટે ખરાબ સમાચાર છે. ખાસ કરીને યારે કેનેડામાં એક વર્ષમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. માતાપિતા જીવન ખર્ચ સંબંધિત પડકારોનો સામનો કરી રહ્યા છે. સાલ્વેશન આર્મીના પ્રવકતા હોન મુરેએ જણાવ્યું હતું કે, એ છે કે ઘણા કેનેડિયનોને તેમના પોતાના માટે અને સૌથી અગત્યનું તેમના બાળકો માટે તેમની દૈનિક મૂળભૂત જરિયાતો પૂરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ દેશમાં મોટા સંકટનો સંકેત છે.
રિપોર્ટ અનુસાર, સર્વેમાં સામેલ ૨૪ ટકા માતા–પિતાએ કહ્યું કે તેઓએ તેમના બાળકોને ખવડાવવા માટે તેમના ખોરાકનો વપરાશ ઓછો કર્યેા છે. ૯૦ ટકાથી વધુ લોકોએ કહ્યું કે તેઓ અન્ય જરિયાતો માટે કરિયાણાના બિલમાં ઘટાડો કરે છે. ઘણા લોકો ઓછા પૌષ્ટ્રિક ખોરાક ખરીદે છે કારણ કે તે સસ્તું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech