હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીની હત્યા

  • February 26, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણામાં પૂર્વ ધારાસભ્ય અને આઈએનએલડીના પ્રદેશ અધ્યક્ષ નફે સિંહ રાઠીની અંધાધુંધ ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી છે. જાણીતા ગાયક સિદ્ધત્પ મુસેવાલાની સ્ટાઈલમાં જ રાઠીની હત્યા કરતા આ ઘટનામાં પણ લોરેન્સ બીશ્નોઈ ગેંગની સંડોવણીની શંકા સેવાઇ રહી છે.હરિયાણામાં આઈએનએલડી પ્રમુખની પંજાબના ગાયક સિદ્ધત્પ મુસેવાલાની સ્ટાઈલમાં હત્યા કરવામાં આવી છે. બંને હત્યાઓની પેટર્ન સંપૂર્ણપણે મેળ ખાઇ રહી છે. આવી સ્થિતિમાં હરિયાણા પોલીસની આશંકા પ્રબળ બની છે કે આ હત્યામાં ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની ગેંગ કોઈને કોઈ રીતે સામેલ છે. દિલ્હીને અડીને આવેલા હરિયાણાના બહાદુરગઢમાં આજે આઈએનએલડી પાર્ટીના અધ્યક્ષ નફે સિંહ રાઠીની અજાણ્યા હત્પમલાખોરો દ્રારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્પમલાખોરોએ અંધાધૂંધ ૫૦થી વધુ ગોળીઓ ચલાવી હતી.પૂર્વ ધારાસભ્ય નફે સિંહ રાઠીનું તેમની કારની સીટ પર ડઝનથી વધુ ગોળીઓ વાગવાથી મોત થયું હતું. પંજાબના સિદ્ધત્પ મુસેવાલાની હત્યામાં પણ આવું જ થયું હતું. અનેક ગોળી વાગવાને કારણે મુસેવાલાનું પણ કારની સીટ પર જ મૃત્યુ થયું હતું. મુસેવાલાની હત્યામાં પણ તેમની સીટ પર સીધી ગોળી ચલાવવામાં આવી હતી. રાઠીની હત્યામાં પણ એવું જ થયું હતું.


પંજાબમાં સિદ્ધત્પની હત્યામાં છ હત્યારા હતા. રાઠીની હત્યામાં ત્રણથી પાંચ હત્યારાઓ હોવાની આશંકા છે.સૌથી મોટી વાત એ છે કે રાઠી જે રીતે બેઠો હતો. એ જ બાજુથી નિશાન બનાવવામાં આવ્યું હતું. તેવી જ રીતે સિદ્ધત્પ મુસેવાલાને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પંજાબના સિદ્ધત્પ મુસેવાલીની હત્યા પહેલા એક રેકી હાથ ધરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, એવી સંભાવના છે કે રાઠી પર સંપૂર્ણ રેકી પણ કરવામાં આવી હતી. આ પછી જ તેની હત્યા કરવામાં આવી હતી. સિદ્ધત્પ મુસેવાલાની જેમ તેમની નજીકની વ્યકિત પણ રાઠીની હત્યામાં સામેલ હોઈ શકે છે. હરિયાણા પોલીસ હવે આ મામલે તપાસ કરી રહી છે





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application