જામનગર મનપાના યુ.સી.ડી. શાખા સખી મંડળના બહેનો દ્વારા રાષ્ટ્રધ્વજનું વિતરણ

  • August 12, 2023 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સખી મંડળના બહેનો દ્વારા શહેરના વિવિધ સ્થળો પર તિરંગાનું વેચાણ કરાશે.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર રાષ્ટ્ર દેશભક્તિના રંગમાં રંગાઈ જશે,  જેના અનુસંધાને જામનગર શહેરમાં પણ સરકારી, ખાનગી, ઇમારતો વેપારી કે ગૃહો પર તમામ નગરજનો દ્વારા પોતાના મકાનો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે,  લોકોની સરળતા માટે શહેરમાં ૧૦ મહત્વના સ્થળો પર જામનગર મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાના સખી મંડળના બહેનો દ્વારા તળાવની પાળ ગેટ નંબર-૧,  એમ્યુઝમેન્ટ પાર્ક, ડીકેવી સર્કલ પાસે, ચાંદી બજાર,  હવાઈચોક, પંપ હાઉસ લાલપુર રોડ, એસટી બસ સ્ટેન્ડ, રણજીતનગર સિવિક સેન્ટર પાસે તા.૧૨/ ૮/ ૨૦૨૩ થી તા.૧૪/ ૮/ ૨૦૨૩ સુધી સવારે ૧૦:૩૦ થી ૧. ૩૦ વાગ્યા સુધી અને બપોરે ૪:૦૦ વાગ્યા થી સાંજે ૭:૦૦  વાગ્યા સુધી   રાષ્ટ્રઘ્વજનું વિનામૂલ્યે વિતરણ  કરવામાં આવશે,  તેમ જામનગર મહાનગરપાલિકા યુ.સી.ડી. વિભાગના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે,  આથી સર્વે નગરજનો પોતાના નજીકના સ્થળ પરથી રાષ્ટ્રધ્વજ મેળવી શકશે, જેની નોંધ  લેવા વિનંતી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application