ક્ષત્રિય સમાજના સંમેલનને લઈ મોટા સમાચાર, ક્ષત્રિય સમાજનું સંમેલન હાલ પુરતુ રખાયુ મોકૂફ

  • April 04, 2024 09:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્ષત્રિય સમાજના સંમેલનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજનું સંમેલન હાલ પુરતુ મોકૂફ રાખવામાં આવ્યું છે. મહત્વનું છે કે 7 એપ્રિલના રોજ સંમેલનનુ મળવાનું હતું.


ક્ષત્રિય સમાજના રોષનો સામનો કરી રહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં આગામી 7 એપ્રિલના આયોજિત ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે.


ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાએ જણાવ્યું કે, પરષોત્તમ રૂપાલા ફોર્મ ના ભરે, ત્યાં સુધી કોઈ સંમેલન નહીં કરીએ. રૂપાલા દ્વારા ફોર્મ ભરાયા બાદ ભાવિ રણનીતિ જાહેર કરવામાં આવશે. એટલું જ નહીં ત્યાં સુધી કોઈ આંદોલન પણ નહીં કરવામાં આવે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application