અતીક-અશરફ મર્ડર કેસ: SIT ત્રણેય શૂટરોના લાઇ ડિટેક્ટર અને નાર્કો ટેસ્ટ કરશે

  • May 17, 2023 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માફિયા ડોન અતીક અહેમદ અને અશરફની હત્યા કેસ સાથે જોડાયેલી માહિતી સામે આવી છે. આ મામલાની તપાસ કરવા માટે રચાયેલ SIT ત્રણેય શૂટર્સનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરશે. અનેક સવાલોના જવાબ ન મળતા SITએ આ કવાયત શરૂ કરી છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ બાદ ન માત્ર હત્યા કેસનું સત્ય બહાર આવશે પરંતુ મોટા ષડયંત્રનો પણ પર્દાફાશ થઇ શકે છે.



અતીક અને અશરફની 15 એપ્રિલની રાત્રે કોલવિન હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં હત્યા કરવામાં આવી હતી. અતીક અને અશરફને ત્રણ હુમલાખોરોએ ઠાર માર્યા હતા. પોલીસે શૂટરો લવલેશ તિવારી, સન્ની સિંહ અને અરુણ મૌર્યની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. કેસની તપાસ માટે ADCP ક્રાઈમ સતીશ ચંદ્રાની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે. શૂટરોની પોલીસ કસ્ટડી રિમાન્ડ પર પણ પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સની સિંહને દિલ્હીના ગેંગસ્ટર ગોગીએ તુર્કીની જીગાના પિસ્તોલ રાખવા માટે આપી હતી. પરંતુ સની હથિયાર લઈને તેના ઘરે ભાગી ગયો હતો.


પૂછપરછ દરમિયાન શૂટરોએ નામ બનાવવા માટે અતીક અને અશરફની હત્યા કર્યાની પણ કબૂલાત કરી હતી. જો કે હજુ પણ પોલીસને અનેક સવાલોના યોગ્ય જવાબ મળ્યા નથી. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે લાઇ ડિટેક્ટર ટેસ્ટની હજુ સત્તાવાર પુષ્ટિ થઇ નથી.માત્ર સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application