ઉમરાળા વિશ્ર્વ સિંહ દિવસ નિમિતે શાળાના ત્રણ હજાર બાળકોની વિશાળ રેલી યોજાઇ

  • August 13, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમરાળાની  પી.એમ.સર્વોદય હાઇસ્કૂલના નેતૃત્વમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ઉમરાળા ની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ, ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ,જાગૃત ગ્રામજનો સહિત આશરે ત્રણેક હજાર લોકોની ભાવનગર તાલુકાની સૌથી મોટી વિશાળરેલી, અને વ્યાખ્યાન માળા નો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમ અને  મમતાબેનની વિશેષ ઉપસ્થિતિમા નેચર એજ્યુકેશન લીડર  રેવતુભા રાયજાદા એ વિદ્યાર્થીઓને ગીરના સિંહની વિવિધ માહિતીઓ આપી હતી.

સમગ્ર કાર્યક્રમમા જહેમત ઉઠાવનાર શિક્ષકો આર.વી. સોલંકી, પી.બી.કુકડીયા અને પી.બી. મકવાણાને શાળાના આચાર્ય  પી.બી.ખીમાણીએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ દ્વારા રચવામાં આવેલી સિંહની વિશાળ આકૃતિની ચોમેર પ્રસંશા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application