ઉનાળાની શરૂઆત થતા જ જામનગરની બજારમાં આકર્ષક અને રંગબેરંગી માટલાઓનું આગમન થઈ ગયું છે. બજારોમાં પરંપરાગત માટીના માટલાઓ હવે અવનવી ડિઝાઈન અને જીવંત રંગો સાથે જોવા મળી રહ્યા છે. કુંભારો દ્વારા માટીના માટલા પર કરવામાં આવેલું બારીક કોતરણીકામ અને રંગરોગાન ગ્રાહકોને આકર્ષી રહ્યું છે.તેમજ બજારની શોભા વધારી રહ્યું છે,આ માટલા માત્ર ઘરની શોભા જ નથી વધારતા, પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતી રીતે ઠંડુ અને શુદ્ધ પાણી પૂરું પાડે છે.રંગબેરંગી માટલાઓના આગમનથી ઉનાળાની સીઝનમાં નાના વેપારીઓ અને કલાકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.