આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ધ્રોલ ખાતે 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે

  • February 04, 2023 09:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તા.૨૨ ફેબ્રુઆરીના રોજ ધ્રોલ ખાતે 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' યોજાશે

અરજદારોએ તા.૧૪ ફેબ્રુઆરી સુધીમાં મામલતદાર કચેરી ધ્રોલ ખાતે અરજી કરવાની રહેશે

જામનગર તા.૦૪ ફેબ્રુઆરી, 'સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ'ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલ સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ 'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.

જે અંતર્ગત, ધ્રોલ ખાતે 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ સવારના ૧૧:૩૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રી, ધ્રોલના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ધ્રોલના મિટિંગ હોલમાં યોજવામાં આવશે. 

આગામી તા.૧૪ ફેબ્રુઆરી સુધીમાં અરજદારોએ તેમની અરજી મોકલી દેવાની રહેશે. અરજી મોકલતી વખતે અરજદારોએ નીચે આપેલ તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત,

(૧) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ અને રજૂ કરેલ પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ તો જ અરજી સ્વીકારવામાં આવશે.

(૨) આ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો હોવા જોઈએ.

(૩) આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે.

(૪) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે. સામુહિક રજુઆતો કરી શકશે નહીં, તાલુકાના તમામ નાગરિકોને આ તાલુકા સ્વાગત કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application