જામનગર: જીએસટી કૌભાંડ કેસમાં પિતા-પુત્રના પાંચ દિ નાં રિમાન્ડ મંજુર
દરેડ જીઆઇડીસી ફેસ-૩માં પેઢીના સંચાલક આયુષ શાહ અને તેના પિતા સુરેશ શાહની ધરપકડ કરાયા બાદ રિમાન્ડ મંગાયા હતા
જામનગર દરેડ જીઆઇડીસી ફેસ-૩માં જીએસટી દ્વારા કરાયેલા સર્ચ ઓપરેશન બાદ પિતા-પુત્રને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાં તેમની રીમાન્ડ માંગવામાં આવતા પાંચ દિવસની મંજુર કરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે જીઆઇડીસી ફેસ-૩માં ઉદ્યોગનગરમાં જીએસટી દ્વારા ઓપરેશન કરાયા બાદ ખરીદી વેંચાણના રેકોર્ડ, બીલીંગ સીસ્ટમ, ટેક્ષ સંબંધી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવતા તેમાં રૂ.૨૩.૦૮ કરોડનું કૌભાંડ નીકળ્યું હતું પિતા સુરેશ શાહ અને પુત્ર આયુષ શાહ બન્નેની ધરપકડ કરાયા બાદ અદાલતમાં રજુ કરાતા તેમના પાંચ દિવસના રિમાન્ડ મળ્યા હતા.