ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા દાતા ગામના વાડી વિસ્તારમાં એક શ્વાન અકસ્માતે કૂવામાં ખાબકી પડ્યો હતો. આ ઘટનાની જાણ સ્થાનિક રહીશો દ્વારા અહીંની જાણીતી સેવા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી.
જેથી સંસ્થાના કાર્યકરો તાત્કાલિક આ સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત સાથે કૂવામાં ઉતરીને કૂતરાનું રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી. જે અંતે શ્વાનને સુરક્ષિત રીતે બહાર કાઢી તેનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવ્યો હતો. આ કાર્યથી સંસ્થાના સેવાભાવી કાર્યની પ્રશંસા કરવામાં આવી રહી છે.