જામનગરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવામાં આવનાર છે. આમ તો મહારાણા પ્રતાપની જયંતી ૯ મી મે અને તિથિ મુજબ રર મે ના છે. પરંતુ મુખ્ય પ્રધાન સહિતના નેતાઓ ૧ લી મે ના જામનગર આવનાર હોવા થી તેમના હસ્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવે તેમ જાણવા મળે છે.
જામનગર ક્રિકેટ બંગલા નજીક સર્કલમાં મહારાણા પ્રતાપ ની પ્રતિમા મૂકવામાં આવનાર છે. આ માટે બાંધકામ, ગાર્ડન, માટી કામ વગેરે ની તૈયારીઓ ચાલી રહી છે. આજે ઈન્ચાર્જ નાયબ કમિશનર ભાવેશ જાની એ કામ ના સ્થળે નિરિક્ષણ પણ કર્યું હતું.
મહારાણા પ્રતાપ નો જન્મ ૯ મે ના થયો હતો આમ તેની જયંતી ની ૯ મી મે ના અને તિથિ મુજબ રર મે ના ઉજવણી થાય છે.. પરંતુ તેની નવી મૂકવામાં આવનાર પ્રતિમાનું અનાવરણ ૧ લી મે ના મુખ્યમંત્રી ના હસ્તે જ કરવા માં આવે તેમ જાણવા મળે છે. કારણ કે તા. ૧ લી મે એટલે કે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં થનાર છે અને ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નું મંત્રી મંડળ જામનગર આવનાર છે. આથી એ દિવસે જ મહાનુભાવોની ઉપસ્થિતિ માં મુખ્યમંત્રી નાં હસ્તે મહારાણા પ્રતાપની પ્રતિમા નું અનાવરણ કરવાનું આયોજન થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉદ્યોગનગરમાં યુવાને ગળાફાંસો ખાઇ કર્યો આપઘાત
September 20, 2024 04:01 PMશું ભારતમાં Mpoxનો બીજો કેસ છે ખતરાની ઘંટડી? સુરક્ષિત રહેવા માટે આજથી જ અપનાવો આ આદતો
September 20, 2024 04:00 PMશેર માર્કેટમાં રેકોર્ડ તેજી સેન્સેકસ ૮૪ હજારને પાર
September 20, 2024 03:58 PMસુભાષનગરના ગોદી વિસ્તારમાં ૧૧ બોટલ દારૂસાથે યુવાન ઝડપાયો
September 20, 2024 03:55 PMયાદશક્તિ ઘટવી એ અલ્ઝાઈમરની હોઈ શકે છે નિશાની, જાણો આ રોગ કેટલો છે ખતરનાક
September 20, 2024 03:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech