અનંત અંબાણીએ જન્મદિવસ નિમિતે નાગેશ્ર્વર જયોતિર્લિંગની શાસ્ત્રોકત વિધિથી કરી પુજા
અનંત અંબાણીએ જન્મદિવસ નિમિતે નાગેશ્ર્વર જયોતિર્લિંગની શાસ્ત્રોકત વિધિથી કરી પુજા
April 13, 2026 05:04 PM
અનંત અંબાણીએ જન્મદિવસ નિમિતે નાગેશ્ર્વર જયોતિર્લિંગની શાસ્ત્રોકત વિધિથી કરી પુજા
અંબાણી પરિવારનાં લાડકા અનંત અંબાણીનાં જન્મદિવસ નિમિતે મુકેશ અંબાણી તથા અનંત અંબાણીએ દ્વાદશ જયોતિર્લિંગ નાગેશ્ર્વર ખાતે પુજન, અર્ચન કર્યું હતું. દ્વારકાના હેલીપેડ ખાતે ઉતરાણ કર્યા બાદ પિતા-પુત્ર નાગેશ્ર્વર જયોતિર્લિંગ ખાતે પહોંચ્યા હતાં. ત્યાં અનંત અંબાણીનાં જન્મદિવસ નિમિતે પરિવારે વિશેષ પુજા કરી હતી અને દ્વારકામાં ૩૦ કરોડનાં ખર્ચે અત્યાધુનિક યાત્રી ભવન બનાવવાની જાહેરાત પણ કરી હતી. પિતા-પુત્રએ નાગેશ્ર્વર મહાદેવ મંદિરમાં શાસ્ત્રોકત વિધિ મુજબ મહાદેવને જલાભિષેક અને રૂદ્રાભિષેક કર્યો હતો. અને પુજારીનાં આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.