જામનગરમાં ગળાફાંસો ખાઇ શ્રમિક યુવાને જીવાદોરી ટુંકાવી
જામજોધપુરમાં ઘઉંમાં નાખવાના ટીકડા આરોગી યુવકનો આપઘાત
જામનગરના સાંઢીયા પુલ પાસે રહેતા એક શ્રમિક યુવાને પત્ની સાથે બોલાચાલી થતા આ બાબતનું લાગી આવતા ગળાફાંસો ખાઇને આયખુ ટુંકાવી લીધુ છે, જયારે જામજોધપુરમાં ગળામાં દુ:ખાવો થતો હોય જેથી કેન્સરની શંકા સેવીને એક યુવાને કંટાળી ઘઉમાં નાખવાના ટીકડા પી લેતા સારવારમાં મૃત્યુ નિપજયુ છે.
જામનગરના સાંઢીયા પુલ મહાલક્ષ્મી બંગલો-૪ ખાતે રહેતા મજુરી કરતા વિજય જેરામભાઇ માંડાણી (ઉ.વ.૨૩) નામનો યુવાન નશો કરવાની ટેવવાળો હોય જેથી એમના ઘરવાળી સાથે ગઇકાલે બોલાચાલી થઇ હતી તેની પત્ની ઘરેથી જતી રહેલ હોય આ બાબતનું યુવાનને મનમાં લાગી આવતા પંખામાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું આ અંગે પરેશભાઇ સીતાપરા દ્વારા સીટી-સી ડીવીઝનમાં જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં જામજોધપુરના ઘાસના ગોડાઉન પાસે રહેતા વિશાલ પ્રવિણભાઇ ધંધુકીયા (ઉ.વ.૧૯) નામના યુવાનને થોડા દિવસથી ગળામાં દુ:ખાવો થતો હોય જેની સારવાર ઉપલેટા હોસ્પીટલમાં ચાલુ હોય પરંતુ યુવાનને શંકા હોય કે તેને ગળામાં કેન્સર છે અને જમવામાં ગળામાં તકલીફ રહેતી હોય જેથી આ શંકાના કારણે કંટાળી જઇ પોતાની મેળે ઘઉમા નાખવાના ટીકડા પી લેતા સારવારમાં લઇ જતા જયાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું, આ અંગે પ્રવિણભાઇ ધંધુકીયાએ પોલીસમાં જાણ કરી હતી.