જામનગર શહેરમાંથી વધુ ત્રણ મોબાઈલની ચોરી

  • December 21, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં મોબાઈલ ચોર ટોળકી સક્રિય બની છે, અને શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વધુ ત્રણ વ્યક્તિના મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રાધેક્રિષ્ના પાર્કમાં રહેતી બીનાબેન પ્રફુલભાઈ ચાવડા નામની મહિલા દરબારગઢ વિસ્તારમાં ખરીદી કરવા માટે આવી હતી, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના પર્સમાંથી ગિરદીનો લાભ લઈને મોબાઈલ ફોનની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ઉપરાંત મુળ મોટાવડીયા ગામના અને હાલ જામનગરમાં પવનચક્કી પાસે રહેતી કોમલબેન લલીતભાઈ વાઘ નામની મહિલાએ રણજીત સાગર રોડ પર આર્મી એરીયા નજીક ખરીદી માટે ગઈ હતી, જે દરમિયાન કોઈએ તેમનો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.
વધુ એક બનાવમાં જામનગરમાં હર્ષદમીલની ચાલી નજીક, પટેલ નગર વિસ્તારમાં રહેતા અજયભાઈ ભુપતભાઈ વાઘેલાએ પણ પોતાનો મોબાઇલ ફોન કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સીટી-એ ડીવીઝનમાં નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application