જો માવઠુ થાય તો ખેડુતોને થશે પારાવાર નુકશાન
જામનગર સહિત સમગ્ર હાલારમાં પાંચેક દિવસ પહેલા આવેલા માવઠાને કારણે કેટલાક ગામડાઓમાં ખેડુતોને ભારે નુકશાન થયું છે, સરકારના હવામાન ખાતા દ્વારા ખેડુતો માટે ચિંતા બની રહે તેવી આગાહી કરવામાં આવી છે, બે દિવસ સુધી હજુ પણ વાદળીયું વાતાવરણ રહેશે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, ગઇકાલે ૪પ કીમીની ઝડપે પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૨ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૮ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૮૪ ટકા અને પવનની ગતિ ૪૦ થી ૪૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ફરીથી માવઠાની ચિંતા ઉભી થઇ છે, ખેડુતોને આર્થિક બોજો પડયાને અઠવાડીયું થયું છે ત્યારે જો માવઠુ થાય તો ખેડુતોને પડયા પર પાટુ કહેવતની જેમ ભારે અસર પડશે. હાલારના કેટલાક ગામડાઓમાં કેટલોક તૈયાર પાક પણ બગડી ગયો છે, ખેડુતોને બિયારણના રુપિયા પણ મળ્યા નથી, કમાણી થાય તે પહેલા જ માવઠાની કુદરતી આફતે ખેડુતોની આર્થિક સ્થિતિ બેહાલ બનાવી દીધી છે.
બે દિવસ સુધી જામનગર શહેર સહિત સમગ્ર હાલારના વાતાવરણ બદલાવ જોવા મળ્યો હતો, ગઇકાલે પવનની ગતિ પણ વધી ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુનિ.ના પાંચ અધિકારીના પગારમાં થશે તગડો વધારો
September 20, 2024 02:24 PMઆપની માંગ : કેન્દ્ર સરકાર કેજરીવાલને નિવાસ માટે સરકારી આવાસ આપે
September 20, 2024 02:13 PMએક ફિલ્મ કે જેમાં શાહરૂખ ખાને સામેથી એક પૈસો પણ લીધા વગર માંગ્યો નાનો રોલ
September 20, 2024 02:08 PMઆ અભિનેતાએ તેની કેરિયર માટેની છેલ્લી ફિલ્મ માટે વસૂલી આટલી ફી, શાહરૂખ ખાનને પણ છોડી દીધો પાછળ
September 20, 2024 01:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech