ધરમપુર ગામે આંગણવાડીમાં ઝાડી ઝાંખરાથી બાળકો ઉપર સર્જાઇ શકે છે જીવનું જોખમ
ધરમપુર ગામે આંગણવાડીમાં ઝાડી ઝાંખરાથી બાળકો ઉપર સર્જાઇ શકે છે જીવનું જોખમ
November 24, 2025 03:04 PM
પોરબંદર નજીક આવેલા અને પોરબંદર મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે તેવા ધરમપુરગામમાં અનુસૂચિત જાતિ સમાજ વિસ્તારની આંગણવાડીમાં ઝાડી ઝાંખરાનું જંગલ ઊગી નીકળ્યું છે જેના કારણે અહીં આવતા બાળકો ઉપર પણ જોખમ સર્જાઇ શકે છે. સાપ વીંછી સહિત ઝેરી જીવજંતુઓ આટા ફેરા કરતા નજરે ચડે છે તેમ જણાવીને અગ્રણી મીણંદભાઈ શિંગરખીયાએ તંત્રનું ધ્યાન દોરીને આંગણવાડીના કમ્પાઉન્ડમાં વ્યવસ્થિત રીતે સાફ-સફાઈ કરવા અને ઝાડી ઝાંખરા નું કટીંગ કરવા માંગ કરી છે.