જામનગરમાં સિંધી સમાજ દ્વારા ગઇકાલે દશેરા નિમિતે નાનકપુરીથી એક ભવ્ય રામસવારી નિકળી હતી.

જે હવાઇચોક, બર્ધનચોક, ચાંદીબજાર, રણજીત રોડ, બેડીગેઇટ, લીમડાલાઇન થઇને સાંજે પ્રદર્શન મેદાને પહોંચી હતી, રામસવારીમાં રામ, રાવણ, હનુમાન, વિભીષણ, મેઘનાથ સહિતના પાત્રોએ સારૂ એવું આકર્ષણ જમાવ્યું હતું.

રામસવારીને સફળ બનાવવા ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી, પૂર્વ પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.