BREAKING NEWS

દિલ્હી અગ્નિકાંડમાં ૨૧ લોકો ભડથું થતાં પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો,મૃતકના પરિવારને ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાયની જાહેરાત

  • June 03, 2026 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિલ્હીના માલવિયા નગર વીસ્તારમાં આગની એક દુર્ઘટના સામે આવી છે જેમાં ૨૧ લોકો મૃત્યુ પામ્યા છે. આગમાં 21 લોકોના મોત થતા સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઈ છે.આ આગની દુર્ઘટનામાં અકાળે ગુમાવનારા મૃત્યુ પામેલાના દરેક મૃતક પરિવારને વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પીએમ મોદીએ સોશિયલ મીડિયા દ્વારા  જેમાં "મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખ અને ઘાયલોને ₹50,000 ની સહાય આપવામાં આવશે."
 વધુમાં આ આગની દુર્ઘટનામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર લખ્યું  પરિવારજનો માટે ઊંડી સંવેદના બતાવી અને વધુમાં તેમને જણાવ્યું કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માઓને શાંતિ આપે અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થાય."આ સાથે એક મહિલા પણ નાના બાળકને લઈને ત્રીજા માળેથી કુદી પડી અંદ ફેક્ચરનોભોગ બની આ સાથેજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ અગીનીકાંડમાં પ્રિયજનોને ગુમાવનારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

અનેસાથે તેને 'X' પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે દિલ્હીના માલવિયા નગરમાં લાગેલી આગને કારણે થયેલી દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે. આ ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના અને સહાનુભૂતિ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે." "હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરું છું.અને આગની ઘટનામાં ૨૧ લોકો મૃત્ય્ય પામ્યાંછે.આગની ઘટનામાં અનેક લોકો ફસાઈ ગયા હતા, જ્યારે 37 જેટલા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application