મુંબઈમાં NCP નેતા બાબા સિદ્દીકીનું સારવાર દરમિયાન મોત થયાના સમાચાર સામે આવ્યા છે. તેમને પેટના ભાગે બેથી ત્રણ ગોળી વાગી હતી. જે બાદ તેમને સારવાર માટે લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
વિગતવાર વાત કરીએ તો NCP નેતા (અજિત પવાર જૂથ)ના વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીને શનિવારે રાત્રે મુંબઈમાં અજાણ્યા લોકોએ ગોળી માર્યાના સમાચાર સામે આવ્યા હતા. ઘાયલ હાલતમાં તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મુંબઈ પોલીસે આ માહિતી આપી હતી.
બાંદ્રામાં બાબા સિદ્દીકી પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેના પર બે-ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. હુમલાખોરોએ બાબા સિદ્દીકીની ઓફિસની બહાર હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબા સિદ્દીકીને પેટમાં બે-ત્રણ ગોળી વાગી હતી.
ત્રણની કરાઈ અટકાયત
આ દરમિયાન પોલીસે આ કેસમાં ત્રણ શકમંદોની અટકાયત કરી છે. હાલ પોલીસે વિસ્તારના સીસીટીવી ફૂટેજ કબજે કરી હુમલાખોરોની ઓળખ કરવામાં કામગીરી કરી રહી છે.
બાબા સિદ્દીકી લાંબા સમય સુધી કોંગ્રેસમાં હતા, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં તેઓ કોંગ્રેસ છોડીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વમાં એનસીપીમાં જોડાયા હતા. અહેવાલ મુજબ શનિવારે તેઓ તેમના પુત્ર જીશાન સિદ્દીકીની ઓફિસ ગયા હતા ત્યારે હુમલાખોરોએ તેમને નિશાન બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIND vs BAN: સેમસનની શાનદાર સદીથી ભારતે બાંગ્લાદેશને 133 રને હરાવી, શ્રેણી 3-0થી કબજે કરી
October 12, 2024 11:12 PMમુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા, સારવાર દરમિયાન થયું મોત
October 12, 2024 11:02 PMમુંબઈ: NCP નેતા બાબા સિદ્દીકી પર ફાયરિંગ, મુંબઈ પોલીસે 3 લોકોની કરી અટકાયત
October 12, 2024 10:43 PMમહેસાણામાં દુર્ઘટના: મૃત્યુ આંકની સંખ્યા 9 થઈ, એકને જીવતો બહાર કઢાયો
October 12, 2024 08:42 PMસંજુ સેમસને T20 ઈન્ટરનેશનલ કરિયરની પ્રથમ સદી ફટકારી, માત્ર 40 બોલમાં ફટકારી સદી
October 12, 2024 08:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech