મહેસાણામાં દુર્ઘટના: મૃત્યુ આંકની સંખ્યા 9 થઈ, એકને જીવતો બહાર કઢાયો

  • October 12, 2024 08:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના મહેસાણામાં દુર્ઘટના મામલે મૃત્યુ આંકની સંખ્યા 9 પર પહોચી ગઈ છે. એકને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. જ્યારે ફેક્ટરીમાં ટાંકી ખોદતી વખતે માટી ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી.


શનિવારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં ટાંકી ખોદતા મજૂરો પર માટી પડી હતી. આ દુર્ઘટનામાં 9 મજૂરોના મોત થયા હતા. 19 વર્ષના છોકરાને જીવતો બચાવી લેવામાં આવ્યો છે. મહેસાણાથી આશરે 37 કિમી દૂર જેસલપુર ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે જણાવ્યું કે, જેસલપુર ગામમાં એક ફેક્ટરી માટે ઘણા મજૂરો ભૂગર્ભ ટાંકી ખોદી રહ્યા હતા ત્યારે માટી અંદર ઘૂસી ગઈ હતી. તમામ 9 મૃતદેહો મળી આવ્યા છે.



સ્ટીલ આઇનોક્સ સ્ટેનલેસ પ્રાઇવેટ લિમિટેડમાં કામદારો ટાંકી ખોદતા હતા ત્યારે અચાનક માટી પડી હતી. અકસ્માત બાદ જેસીબીની મદદથી માટી હટાવવામાં આવી હતી. પાંચ એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application