જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે આતંકવાદી ઘટનાઓમાં વધારો અને ઇસ્લામાબાદમાં સરકારી સ્તરે ગંભીરતાના અભાવને કારણે હાલમાં પાકિસ્તાન સાથે સંબંધો સામાન્ય બનાવવા "અશક્ય" લાગે છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે વાતચીત એ એકમાત્ર રસ્તો છે, પરંતુ વાતચીત માટે જરૂરી "અનુકૂળ વાતાવરણ" સ્પષ્ટપણે ખૂટે છે.સાથે સાથે તેમને એમ પણ કહ્યું હતું કે દેશના સૌથી શક્તિશાળી રાજ્યોમાંના એકનું નેતૃત્વ કરવાને બદલે કેન્દ્રશાસિત પ્રદેશનું નેતૃત્વ કરવાનું તેમનું "દુર્ભાગ્ય" છે, જેમાં અન્ય કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કરતા ઘણી ઓછી સત્તાઓ છે.તેમણે આ તકે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પાછો મેળવવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે આવા વાતાવરણ બનાવવા માટે પાકિસ્તાન સંપૂર્ણ જવાબદારી લે છે. પહેલગામ અને દિલ્હીમાં થયેલા હુમલાઓ સહિત તાજેતરના સુરક્ષા ભંગનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે જમીની વાસ્તવિકતા પ્રતિકૂળ રહે છે અને ભારત આવી ઉશ્કેરણીઓને અવગણે તેવી અપેક્ષા રાખી શકાતી નથી.મુખ્યમંત્રી અબ્દુલ્લાએ કહ્યું, "જ્યાં સુધી દિલ્હી વિસ્ફોટ જેવી ઘટનાઓ બનતી રહેશે, ત્યાં સુધી સંબંધો સામાન્ય બનાવવાની કલ્પના કરવી મુશ્કેલ છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે સંબંધો સામાન્ય કરવા તરફ પ્રગતિ કરતા પહેલા પાકિસ્તાને અનેક મોરચે નક્કર પગલાં લેવા પડશે.
આ દરમિયાન, ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી પદને "શક્તિહીન" પદ ગણાવ્યું અને કહ્યું કે દેશના સૌથી શક્તિશાળી રાજ્યોમાંના એકનું નેતૃત્વ કરવાને બદલે કેન્દ્રશાસિત પ્રદેશનું નેતૃત્વ કરવાનું તેમનું "દુર્ભાગ્ય" છે, જેમાં "અન્ય કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કરતા ઘણી ઓછી સત્તાઓ છે.
ઓમર અબ્દુલ્લાએ વર્તમાન વહીવટી વ્યવસ્થાની આકરી ટીકા કરી અને લેફ્ટનન્ટ ગવર્નર પર સતત દખલગીરીનો આરોપ લગાવ્યો. તેમણે એવી પણ માંગ કરી કે કેન્દ્ર સરકારે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે સ્પષ્ટ "લક્ષ્ય" નક્કી કરવું જોઈએ.