વૃઘ્ધનો માનસિક બીમારીથી કંટાળી આપઘાત

  • May 08, 2023 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા એક પ્રૌઢે પોતાની માનસિક બીમારીથી તંગ આવી જઇ  ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જામજોધપુર તાલુકાના મોટા વડિયા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા દેવાણંદભાઈ દેશુરભાઈ કરંગીયા (ઉ.વ.૫૮) નામના પ્રૌઢ છેલ્લા કેટલાક સમયથી માનસિક  બીમારીથી પીડાતા હતા, જે બીમારીના કારણે જિંદગીથી કંટાળી જઈ તેઓએ પોતાના ઘરમાં પંખામાં દોરી વડે ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર ગોવિંદભાઈ દેવાણંદભાઈ કરંગીયાએ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application