નવી દિલ્હી કોઈ પણ દેશો વચ્ચે ચાલતું યુદ્ધ માત્ર તે બે કે ત્રણ દેશો જ નહી,સમગ્ર વિશ્વ પર વધતા ઓછા અંશે નકારાત્મક અસર પહોચાડે જ છે. એવું જ મધ્ય પૂર્વ દેશમાં ચાલી રહેલા યુદ્ધમાં બન્યું છે. ઈરાન–યુએસ–ઇઝરાયલ યુદ્ધની અસર હવે ભારતીય ખેડૂતો સુધી પહોંચી છે. માર્ચ ૨૦૨૬માં, દેશના ખાતર અને યુરિયા ઉત્પાદનમાં માર્ચ ૨૦૨૫ની સરખામણીમાં ૨૪.૬ ટકાનો ઘટાડો થયો હતો, એટલે કે લગભગ એક કવાર્ટર ઓછું ખાતરનું ઉત્પાદન થયું હતું. આ ડેટા કેન્દ્ર સરકારના વાણિય મંત્રાલય દ્રારા જાહેર કરવામાં આવ્યો હતો.કાચા તેલના ઉત્પાદનમાં ૫.૭ ટકાનો ઘટાડો થયો છે. કોલસાના ઉત્પાદનમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. વીજળીના ઉત્પાદનમાં પણ ૦.૫ ટકાનો ઘટાડો થયો છે. ઓછા કોલસા અને ઓછી વીજળી વચ્ચે સીધો સંબધં છે. સ્થાનિક કુદરતી ગેસના ઉત્પાદનમાં ૬.૪ ટકાનો વધારો થયો છે, જેનાથી થોડી રાહત મળી છે. સ્ટીલનું ઉત્પાદન ૨.૨ ટકા વધ્યું છે. દેશમાં રસ્તા અને ઘરનું બાંધકામ ચાલુ રહેતાં સિમેન્ટ ૪ ટકાથી ઉપર રહ્યું છે. માર્ચ ૨૦૨૬માં આઠ મુખ્ય ઉધોગોનો સંયુકત સૂચકાંક ૦.૪ ટકા ઘટો હતો. સમગ્ર નાણાકીય વર્ષ ૨૦૨૫–૨૬ માટે, તે ફકત ૨.૬ ટકા વધ્યો હતો, જે પાછલા વર્ષેા કરતા ઘણો ઓછો છે.