ગ્રામ્યપંથકમાં યોજાયું સફાઈ અભિયાન

  • October 18, 2024 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે.જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી કામગીરી કરવામાં આવી રહી છે.સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ ઝુંબેશ અંતર્ગત પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાણીના ટાંકાની આજુ-બાજુ ના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. પાણીના ટાંકાની નજીક બાવળ અને પ્લાસ્ટિક સહિત કચરાનો નિકાલ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સફાઈ બાદ એકઠો થયેલ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં ગ્રામજનો સહભાગી થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application