દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અંગે બીજેપીએ આપ પર કર્યા પ્રહારો

  • October 18, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દિલ્હી વધી રહેલા વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. કાલિંદી કુંજ વિસ્તારમાં યમુના નદી પર ઝેરી ફીણ તરતું જોવા મળ્યું હતું. ત્યારે બીજેપીએ હવે પ્રદૂષણને લઈને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપે કહ્યું છે કે આપનો પ્રદૂષણ ઘટાડવાનો કોઈ ઈરાદો નથી અને તેઓ આ મુદ્દે માત્ર દોષની રમત રમે છે.


ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી આપ સરકારનો પ્રદૂષણ ઘટાડવાનો કોઈ ઈરાદો નથી. પ્રદૂષણ ફરી હાનિકારક બની રહ્યું છે. નદી અને હવા પ્રદૂષિત હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તો માત્ર શરૂઆત છે. 4-5 મહિના પછી ચૂંટણી છે, હું લોકોને વિનંતી કરું છું કે બીજેપીને ફરી દિલ્હી બનાવવાનો મોકો આપો.


રાષ્ટ્રીય રાજધાનીમાં બગડતી હવાની ગુણવત્તા પર દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે કહ્યું કે, વિપક્ષને કંઈપણ કહેવાનો અધિકાર નથી. અમે યોજનાઓ બનાવી રહ્યા છીએ અને કેટલાક પ્રયાસો કરી રહ્યા છીએ પરંતુ ભાજપ સરકાર સૂઈ રહી છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં ભાજપ સરકાર ઉંઘી રહી છે. દિલ્હી સરકાર પ્રતિકૂળ હવામાનમાં પણ પ્રદૂષણની અસર ઘટાડવા માટે સૌથી વધુ સક્રિય રીતે કામ કરી રહી છે.  દિલ્હીમાં જે રીતે હવામાન બદલાઈ રહ્યું છે તે પ્રદૂષણ પર તેની અસર હવે દેખાઈ રહી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ દિલ્હીમાં પવનની ગતિ ઘટી રહી છે. તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. દિલ્હીમાં કેટલીક જગ્યાઓ પર પ્રદૂષણના ઉચ્ચ સ્તરને ધ્યાનમાં રાખીને વધારાનો એક્શન પ્લાન બનાવવા માટે આજે સચિવાલયમાં સ્થાનિક અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેથી પ્રતિકૂળ હવામાનમાં પણ તેઓ હોટસ્પોટ પર વધુ સારી રીતે નજર રાખી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application