મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટને કારણે વિશ્વભરના ઘણા દેશોમાં ઈંધણ પુરવઠા પર અસર પડી છે. ભારતમાં પણ ઈંધણની તંગી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે, મુકેશ અંબાણીની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે, તેના રિટેલ આઉટલેટસ પર જથ્થાબધં ઈંધણ ખરીદી પર પ્રતિબંધો લાધા છે. જોકે, કંપનીએ આ બાબતે કોઈ ઔપચારિક નિર્દેશ જારી કર્યેા નથી.
બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે કે આ રિટેલ આઉટલેટસના ગ્રાહકોને ફકત ૧૧ ડોલર (આશરે .૧,૦૦૦) સુધીની કિંમતનું પેટ્રોલ અથવા ડીઝલ ખરીદવાની પરવાનગી છે. આ બાબતથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીની રિલાયન્સ – તેના ભાગીદાર, બીપી પીએલસી સાથે સંયુકત સાહસમાં કાર્યરત હાલમાં તેમના ઈંધણ સ્ટેશનો પર પ્રતિ મુલાકાત મહત્તમ .૧,૦૦૦ સુધી વ્યકિતગત ખરીદી મર્યાદિત કરી રહી છે. નોંધનીય છે કે આ સંયુકત સાહસ દેશભરમાં ૨,૦૦૦ થી વધુ ઈંધણ પપં ચલાવે છે.
એક સૂત્રએ જણાવ્યું હતું કે જિયો–બીપી પંપના ઓપરેટરોએ ગભરાટમાં ખરીદીને રોકવા અને માંગમાં અચાનક થયેલા વધારાને નિયંત્રિત કરવા માટે ઈંધણ ખરીદી પર મર્યાદા લાદવાનું શ કયુ છે. રિલાયન્સના પ્રવકતાએ જણાવ્યું હતું કે ગ્રાહકો દ્રારા ખરીદી શકાય તેવા ઈંધણના જથ્થાને મર્યાદિત કરવાનો કોઈ સત્તાવાર નિર્દેશ નથી; જોકે, તેમણે સ્વીકાયુ કે આવા કિસ્સાઓ ચોક્કસ સ્થાનિક પરિસ્થિતિઓનું પરિણામ હોઈ
શકે છે. જિયો–બીપી પ્રથમ ઓપરેટર છે જેણે ફકત ભાવ વધારવાને બદલે પુરવઠા મર્યાદા લાદી છે. આ ભારતના ઉર્જા બજારમાં ફેલાઈ રહેલી વધતી અનિશ્ચિતતાનો સંકેત આપે છે.
ઉલ્લેખનીય છે કે માર્ચમાં, ખાનગી ક્ષેત્રની કંપની નાયરા એનર્જીએ વધતા સંચાલન ખર્ચને ટાંકીને પેટ્રોલના ભાવમાં .૫ પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં .૩ પ્રતિ લિટરનો વધારો કર્યેા હતો. નાયરાના પપં પર, પેટ્રોલનો ભાવ હવે .૧૦૦.૭૧ પ્રતિ લિટર છે, યારે ડીઝલ .૯૧.૩૧ પ્રતિ લિટર છે.
ભારત – વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકાર – હાલમાં હોર્મુઝ સ્ટ્રેટના લગભગ સંપૂર્ણ બધં થયા પછી પુરવઠાના પડકારોનો સામનો કરી રહ્યો છે. આ સ્ટ્રેટ ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના વૈશ્વિક શિપમેન્ટ માટે એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે કામ કરે છે. સંઘર્ષને કારણે, ઈરાને તેના દ્રારા પુરવઠો અટકાવી દીધો હતો. યુનાઇટેડ સ્ટેટસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો હોવા છતાં, ટેન્કરોની અવરજવર ખોરવાઈ રહી છે.