BREAKING NEWS

રાજકોટ રેલવે સ્ટેશને પ્રજ્ઞાચક્ષુ યાત્રિકો માટે બ્રેઈલ મેપ અને બ્રેઈલ બોર્ડની સુવિધા શરૂ

  • December 26, 2025 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત રાજકોટ રેલવે સ્ટેશન પર પ્રજ્ઞાચક્ષુ મુસાફરોની સુવિધા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી બ્રેઈલ સાઈનેજ અને બ્રેઈલ મેપની આધુનિક સુવિધા શરૂ કરવામાં આવી છે.

આ નવી વ્યવસ્થા અંતર્ગત રાજકોટ સ્ટેશનના મુખ્ય સ્થળો પર બ્રેઈલ લિપિમાં સાઈનેજ લગાવવામાં આવ્યા છે, જેનાથી દ્રષ્ટિહીન મુસાફરો પુરુષ શૌચાલય, મહિલા શૌચાલય, દિવ્યાંગજન શૌચાલય, પીવાનું પાણી, દિવ્યાંગજન રેમ્પ, લિફ્ટ, ફૂટ ઓવર બ્રિજ (પેદલ પાર પુલ), પૂછપરછ કાઉન્ટર અને પ્રતીક્ષાલય જેવી આવશ્યક સુવિધાઓ સુધી કોઈ પણ સહાય વિના સરળતાથી પહોંચી શકશે. આ સાથે જ બ્રેઈલ મેપ દ્વારા મુસાફરોને સ્ટેશનના સંપૂર્ણ લેઆઉટની સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત થશે.

રાજકોટ ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ પહેલ “દરેક મુસાફર માટે સુલભ રેલ મુસાફરી” ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પ્રશંસનીય પ્રયાસ છે, જેનાથી સમાજના તમામ વર્ગોને સમાન સુવિધા અને સન્માન સાથે મુસાફરી કરવાની તક મળી શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application