જામનગર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા ભક્તિ ઉત્સવ યાત્રા અંતર્ગત નોલેજ સેશનનું આયોજન

  • February 21, 2023 08:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા "ભક્તિ ઉત્સવ યાત્રા "અંતર્ગત નોલેજ સેશનનું આયોજન
 
જામનગર તા.૨૧ ફેબ્રુઆરી, આગામી માર્ચ મહિનામાં સમગ્ર ગુજરાતમાં પૂજય ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના આગમન પૂર્વે ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જામનગર આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા "ભક્તિ ઉત્સવ યાત્રા "અંતર્ગત એક ખાસ નોલેજ સેશન શ્રી સેજલ દીદી ( ઇન્ટરનેશનલ મેન્ટોર્સ અને આર્ટ ઓફ લિવિંગ ટીચર )સાથે તારીખ 26-2-2023 રવિવારે સાંજે 7-00 કલાકે તન્ના હોલ ,સાત રસ્તા સર્કલ પાસે રાખેલ છે .


આ જ્ઞાન સત્સંગ માં સર્વે જનતાને પધારવા આર્ટ ઓફ લિવિંગ પરિવારના મીડિયા કોર્ડીનેટર સંજય જાની તથા છાયાબેન ચંદ્રાણી દ્વારા જણાવવામાં આવ્યું છે તેમજ વધુ માહિતી માટે જયેશભાઇ જોશી -9824285959-જિલ્લા સંચાલક, જ્યોતિબા જાડેજા -9409429768નો સંપર્ક કરવા આર્ટ ઓફ લિવિંગ પરિવારની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application