Video : મંત્રી રાઘવજી પટેલની ખબર અંતર પૂછવા રાજકોટ પહોંચ્યા રાજ્યપાલ, પરષોત્તમ રૂપાલાએ પણ લીધી મુલાકાત

  • February 11, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




ગતરાત્રીના રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને સારવાર માટે તાત્કાલિક ધોરણે જામનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક તમામ સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ રાત્રિના ત્રણ વાગ્યે વધુ સારવાર માટે રાજકોટમાં આવેલી સિનર્જી હોસ્પિટલ ખાતે તેમને લઈ આવવામાં આવ્યા હતા. જ્યાં તેમને ન્યુરોલોજીસ્ટની ટીમ દ્વારા આઇસીયુમાં રાખી સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.



હાલ રાજકોટની સિનર્જી હોસ્પીટલમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની સારવાર ચાલી છે, સવાર થી જ મંત્રીઓ અને આગેવાનો તેમના ખબર અંતર પૂછવા પહોંચી રહ્યા છે. ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ રાજકોટ પહોંચ્યા છે, તેમણે રાઘવજી પટેલના પરિવાજનો સાથે મુલાકાત કરી હતી, આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા અને સાંસદ મોહન કુંડારીયા તેમજ ધારાસભ્ય દર્શીતા શાહ સહિતના નેતાઓ પણ રાઘવજી પટેલના ખબર અંતર પૂછવા સીનર્જી હોસ્પિટલ પહોંચ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application