Video : રામ નવમી પર ઇન્દોરમાં મોટી દુર્ઘટના, મંદિરના કૂવાની છત ધરાશાયી થતા શ્રદ્ધાળુઓ કુવામાં પડ્યા, રેસ્ક્યુ ઓપરેશન શરુ

  • March 30, 2023 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્દોરમાં આજે રામ નવમી પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં બનાવેલ કુવાની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો અંદર પડ્યા છે.


હાલ રેસ્ક્યુ ટીમ દ્વારા કૂવામાં પડેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અકસ્માત બાદ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને 108ની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ન હતી. કેટલાક લોકો હાલ બહાર કાઢી નજીકની હોસ્પીતામાં લઇ જવાયા છે.

 

આજે રામ નવમીના તહેવાર નિમિત્તે મોટો સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોચ્યા હતા. સૂત્રો મુજબ  વહીવટી સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો છે. વરિષ્ઠ અધિકારીઓ પણ પહોંચી રહ્યા છે. પોલીસે રાહત કાર્ય શરૂ કરી દીધું છે.


​​​​​​​તમામ ભક્તોને મંદિરમાંથી બહાર ખસેડવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે જેઓ કૂવામાં પડ્યા છે તેમની શું હાલત છે. તેમને દોરડા વડે બહાર કાઢવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application