ગુજરાતમાં વકફ બોર્ડ દ્વારા ધર્મના નામે ગેરકાયદેસર અવૈધ દબાણો પરનો કબજો તંત્ર કયારે હટાવશે...?: હિન્દુ સેના

  • September 20, 2024 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સચોટ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હિન્દુ સમાજનો આક્રોશ વધશે અને આવા ધર્મના નામે ગેરકાયદેસર દબાણો જાતે હટાવવામાં આવશે


ગુજરાતમાં વકફ બોર્ડ દ્વારા ઘણા સ્થાનો પર ધર્મના નામે ગેરકાયદેસર અવૈધ મઝાર, દરગાહ તેમજ પાણીના પરબો તથા સેવાના નામ પર લીલા ઝંડાઓ ફરકાવી ગેરકાયદેસર દબાણ ચોકકસ કોમના લોકો દ્વારા થઈ રહ્યું છે. વકફ બોર્ડના નામે પણ ઘણા દબાણો કરી ભારત વિરોધીઓ સક્રિય થઈ ગયા છે. તેમજ રાષ્ટ્ર વિરોધી જેહાદી માનસીકતા ધરાવનારાઓએ હિન્દુ વિસ્તારો તેમજ હિન્દુ મંદિરો, શાળા કોલેજો, હોસ્પીટલો, હાઈવે પર આવેલ પુલો નજીક પણ દબાણો વધારી રહ્યા છે. જેને લીધે ત્યાંથી પસાર થતા રાહદારીઓની મુશ્કેલી વધી રહી છે.


ખરેખર હિન્દુઓના વિસ્તારમાં રાષ્ટ્ર વિરોધી જેહાદીઓ ધર્મના નામે આવી મઝારો કે દરગાહોકે પાણીના પરબો કે અન્ય અવૈધ દબાણો ઉભી કરી રહ્યા છે જે મઝારો કે દરગાહો કે મસ્જીદો ભવિષ્યમાં રાષ્ટ્ર વિરોધી કામમાં પણ લઈ શકે અને રાષ્ટ્રને નુકશાન પહોંચાડે તે પહેલાં તાત્કાલીક ધોરણે આવા અવૈધ કબજાઓ હટાવવા તેમજ દૂર કરવા ગુજરાત હિન્દુ સેનાના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ઉચ્ચ પદાધિકારીઓને તાકીદ કરવામાં આવે છે ગુજરાતમાં વકફ બોર્ડ દ્વારા ધર્મના નામે ગેરકાયદેસર અવૈધ દબાણો પરનો કબજો તંત્ર કયારે હટાવશે...? તેવું હિન્દુ સેના દ્વારા તંત્રને સવાલ પુછી રહી છે અન્યથા સચોટ કાર્યવાહી નહીં કરવામાં આવે તો હિન્દુ સમાજનો આક્રોશ વધશે અને આવા ધર્મના નામે ગેરકાયદેસર દબાણો જાતે હટાવવામાં આવશે.


વિષયની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે પગલા લેવા તેમજ વકફ બોર્ડના નામે ગુજરાતના હિન્દુ વિસ્તારોમાં ગેરકાયદેસર અવૈધ મઝાર ખડકી દીધેલી છે તે તેમજ ધર્મના નામે થયેલા દબાણોને તાત્કાલીક દૂર કરવા તંત્ર પાસે હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ દ્વારા માંગણી કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application