ભાવનગર : કાળિયાબીડ સગવાડી વિસ્તારના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

  • August 10, 2023 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદી અને મોતીના હાલ મળી કુલ રૂપિયા ૧,૯૫,૦૦૦ ની ચોરી


ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ સાગવાડી ખાતે રહેતા વૃદ્ધ પતિ પત્ની પોતાનું ઘર બંધ કરી પુત્રને ત્યાં અમદાવાદ ખાતે ગયા હતા તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સોએ ઘરના દરવાજાના તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખવામાં આવેલા સોના ચાંદીના ઘરેણા ની ચોરી કરી નાખી છુટ્યા હતા ચોરી કરનાર ચાર શખશો સીસીટીવી કેમેરામાં દ્રશ્યમાન થયા હતા


ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના સગવડી વિસ્તારમાં રહેતા સચ્ચિદાનંદભાઈ પ્રકાશભાઈ ભટ્ટનાગરાએ નિલમબાગ પોલીસ મથકમા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે સચ્ચિદાનંદભાઈ અને તેમના પત્ની અમદાવાદ ખાતે રહેતા પુત્રનાં ધરે ઘર બંધ કરી ને ગયા હતા 


તે દરમિયાન ચાર અજાણ્યા શખ્સો મોઢે તથા માથે રૂમાલ બાંધેલી હાલતના સચ્ચિદાનંદભાઈના રહેણાંકી મકાનનો મુખ્ય દરવાજા આગળની જાળીનો લોકનો હુક તોડી અંદર પ્રવેશી બીજો દરવાજો જેનો ઇન્ટરલોક ધક્કો મારીને તોડી ઘરમાં પ્રવેશી આખુંય ઘર વેરવિખેર કરી કબાટમાં રખવામાં આવેલા સોના ચાંદી અને મોતીનો હાર મળી કુલ રૂ.૧,૯૫,૦૦૦ ની ચોરી કરી પડોશમાં રહેતા અંકિતભાઈના મિત્ર સાયકલની ચોરી કરી નાસી છૂટયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application