ગુજરાત આવતી સ્પેશિયલ ટ્રેનમાં અચાનક બીમાર પડ્યા 90 મુસાફરો, તંત્ર થયું દોડતું

  • November 29, 2023 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમાચાર સામે આવ્યા છે કે ચેન્નાઈથી ગુજરાત આવતી સ્પેશિયલ ટ્રેનમાં ફૂડ પોઈઝનિંગના કારણે લગભગ 90 યાત્રિકો બીમાર પડ્યા છે. ભારતીય રેલ્વેમાં પીરસવામાં આવતા ફૂડને લઈને અનેક ફરિયાદો સામે આવી છે. ત્યારે એક સાથે આટલા મુસાફરોનું બીમાર થવું એ ટ્રેનમાં આપવામાં આવતા ભોજન પર સવાલનું કારણ છે.

અહેવાલ અનુસાર, આ અંગે માહિતી આપતાં રેલવે અધિકારીઓએ જણાવ્યું કે સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 90 મુસાફરોએ બુધવારે (29 નવેમ્બર) ફૂડ પોઈઝનિંગની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે તમામ મુસાફરોને પુણે રેલવે સ્ટેશન પર તબીબી સહાય આપવામાં આવી હતી.


રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ સ્પેશિયલ ટ્રેન ચેન્નાઈથી ગુજરાત જઈ રહી હતી. મુસાફરીની વચ્ચે, મુસાફરોની તબિયત અચાનક બગડી હતી, જેના કારણે 28 નવેમ્બરના રોજ પુણે સ્ટેશન પર ટ્રેનને રોકી દેવામાં આવી હતી અને મુસાફરોને જરૂરી તબીબી સહાય આપવામાં આવી હતી.


અહેવાલ મુજબ, ટ્રેન 50 મિનિટ પછી રવાના થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ગુજરાતના પાલિતાણામાં યોજાનાર ધાર્મિક કાર્યક્રમ માટે ભારત ગૌરવ ટ્રેન ખાસ બુક કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application