વેરાવળમાં મોડીરાતે ઘેરથી કહ્યા વગર નીકળી ગયેલા બાળકને પોલીસે પરિવારને સોંપી દીધા

  • December 07, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળમાં ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ બાળકનો તેના પરીવાર સાથે સોમનાથ મરીનના પોલીસ સ્ટાફએ ખરાઈ કરી મીલાપ કરાવી આપતા બાળકના પરીવારએ પોલીસનો આભાર માન્યો હતો.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૪-૧૨-૨૦૨૩ના રોજ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.બી.કુરેશી વગેરે નાઇટ રાઉન્ડમાં હતા ત્યારે સાંઇબાબા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરી કરી રહેલ હતા તે દરમ્યાન રાત્રીના આશરે એકાદ વાગ્યે બારેક વર્ષનો એક બાળક સ્કુલ બેગ તથા નાની સાયકલ લઇ નીકળતા તેને રોકાવી પુછપરછ કરતા બાળક પોતાને કઇ યાદ નથી અને માતા-પિતાના નામ યાદ નથી તેવુ રટણ કરતો હતો. જેથી તેને સાત્વના આપી પાસે બેસાડી અને યુકતી પ્રયુકતીપુર્વક પુછપરછ કરેલ તેમ છતાં કોઈ માહિતી મળી ન હતી. બાદમાં તેની પાસે રહેલ બેગમાં મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ રૂ.૪૫૦૦ મળી આવેલ હતા. ફોનમાં લોક હોય જેથી રાત્રીના સમયે મોબાલઇના જાણકારને બોલાવી મોબાઇલનો લોક અનલોક કરાવી તેના પરીવારના સભ્યોનો સંપર્ક કરતા બાળકના માતા-પિતા ભાવેશભાઇ ખોડાભાઇ રામાણી તથા વંદનાબેનને બોલાવી ખાત્રી કરી જરી ડોક્યુમેન્ટ મેળવી બાળકને વિશ્ર્વાસમાં લઇ પુછપરછ કરતા પોતે ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનુ જણાવતો હતો. બાદમાં ખરાઈ કરી બાળકને તેમના પરીવારને સોપી આપવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application