રાજકોટ બાલાજી મંદિર વિવાદ : બાંધકામ અંગે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારીએ શું કહ્યું, જુઓ... 

  • April 25, 2023 01:59 PM 

રાજકોટના બાલાજી મંદિરનો વિવાદ વકર્યો છે. ત્યારે બાલાજી મંદિરના વિવાદ મુદ્દે મનપાનાં ટાઉન પ્લાનર એમ.ડી સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે. મનપામાં બાલાજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા બે મહિના પૂર્વે પ્લાન રજુ કરાયો છે. હજુ સુધી પ્લાન મંજુર કરાયો નથી પ્લાન યોગ્ય હશે તો મંજૂર કરાશે. પ્લાન મુક્યાં પછી બાંધકામ કરી શકાય પરંતુ યોગ્ય ન હોય તો ફી ભરી શકાય. બાંધકામ gdcrની જોગવાઈ મુજબ ન હોય તો બાંધકામ કરનારે દૂર કરવાનું રહે છે. પ્લાન આસી. ટાઉનપ્લાનર ચેક કરે પછી મારી પાસે આવશેનું જણાવવામાં આવ્યું છે. પ્લાનમાં કોઈપણ ગેરરીતિ હશે તો મંજુર કરવામાં આવશે નહીં. એન્જીનિયરોને ક્ષતિપૂર્તતા પત્ર લખવામાં આવ્યો છે જેની કાર્યવાહી બાકી છે. કલેક્ટરને પત્ર લખી જાણ કર્યા બાદ મનાઈ હુકમ પણ ટ્રસ્ટીઓને પાઠવવામાં આવ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application