ઉપલેટા તાલુકામાં ચોમાસા સુધી NDRFની ટીમ રહેશે તૈનાત
હાલ ચોમાસાની ઋુતુમાં ભારે વરસાદથી અથવા ડેમ ઓવરફલો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલ હાનિ ન થાય તે માટે સરકાર દ્વારા સ્થળાંતરણ, રાહત, બચાવ અને પુનઃસ્થાપન સહિતની કામગીરી કામગીરી કરવામાં આવી છે. આવા અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય થઇ શકે તે માટે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા દરમિયાન તૈનાત કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લામાં પણ વહિવટી તંત્રના સંકલનમાં પી.જી.વી.સી.એલ.ના ડિઝાસ્ટર સેલ ૨૪ કલાક કાર્યરત છે. ભારે વરસાદમાં ખાનાખરાબી ન સર્જાય તે માટે સક્રિય છે. તંત્ર દ્વારા એન.ડી.આર.એફ.ની સાત લોકોની એક ટીમ પૂરા ચોમાસા માટે ઉપલેટામાં તૈનાત કરાઇ છે.
ઉપલેટા તાલુકામાં મોટા પ્રમાણમાં નીચાણવાળા વિસ્તારો આવેલા છે. જ્યાં પાણી ભરાવા સહિતની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે તંત્રએ આગોતરા આયોજનના ભાગરૂપે એન.ડી.આર.એફ.ની ટીમ પૂરા ચોમાસા માટે તૈનાત કરી છે. તાજેતરના ભારે વરસાદના પગલે ઉપલેટા તાલુકાના ત્રણેય ડેમ વેણુ, મોજ અને ભાદર-૨ ભરાઇ ગયા છે. ત્યારે ઉપલેટા તાલુકાના સંભવિત પૂરથી અસરગ્રસ્ત અને નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારોની NDRF ટીમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી. તેમજ ગ્રામજનોને તકેદારી રાખવા જરૂરી સૂચના આપવામાં આવી હતી તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નજીક ટ્રક અને છોટા હાથી વચ્ચે અકસ્માત: એક મૃત્યુ
September 20, 2024 11:50 AMધોરાજીમાં કૌટુંબિક દાદા, ચાર મહિલા સહિત આઠ વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ મહિલા
September 20, 2024 11:44 AMભાજપના સદસ્યતા અભિયાનમાં 2511 સભ્યો જોડાયા
September 20, 2024 11:35 AMભારતે યુક્રેનને તોપગોળા આપ્યા: રિપોર્ટથી હોબાળો
September 20, 2024 11:31 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech