જામનગરના સુન્ની મુસ્લીમ સમાજ વુલનમીલનો કાર્યભાર નવી યંગ કમિટીએ સંભાળ્યો, સમાજમાં વર્ષોથી સેવા આપતા યુસુફ પટેલે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું

  • July 31, 2023 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના વોર્ડ નં.6 માં છેલ્લા ઘણા વર્ષોથી સુન્ની મુસ્લીમ સમાજ વુલનમિલ કાર્યરત છે અને તેનો કાર્યભાર છેલ્લા ઘણા વર્ષોથી યુસુફ પટેલ સંભાળી રહ્યા હતા પરંતુ પોતાની વધતી જતી વય અવસ્થાના પગલે તેમના દ્વારા સ્વૈચ્છિક રાજીનામું આજે તા.31-07-2023 ને સોમવાર મહોરમ નિમિતે ઈમામ હુસેનની ઝીયારતના સમયે આપવામાં આવ્યું છે અને હવેથી જામનગર વુલનમિલ વિસ્તારના મુસ્લિમ સમાજના વિવિધ જ્ઞાતિઓના 17 નવ યુવાનોની કમિટી કાર્યભાર સંભાળશે. 


મહોરમમાં ઝિયારતના દિવસે આજે યોજાયેલા વિદાય સમારંભ કાર્યક્રમમાં માજી પટેલ બનેલા યુસુફ પટેલને તમામ આગેવાનો દ્વારા ફુલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે  જમાતના આગેવાનો હારૂનભાઈ સુમરા, સીદીકભાઈ સુમરા, ઈકુ બાપુ તેમજ સલીમભાઈ દલ તથા હાજીભાઈ હિંગોરા, સલીમભાઈ માજોઠી, લતીફભાઈ સુમરા, જુમાભાઈ માજોઠી, સાજીદભાઈ સમા, સેફૂલા બાપુ, સુલેમાન જુમેઈ શેખ, વલિમામદ ઘુઘા, અલીભાઈ સુમરા, વલીભાઈ સુમરા, મામદભાઈ સુમરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



જામનગરના સુન્ની મુસ્લિમ સમાજ, વુલનમિલની નવી વરાયેલી યંગ કમિટીમાં અકબર માજોઠી, દાઉદ હાલેપોત્રા, હનીફ દલ, મજીદ સમા, રફીક વીરા, શબિર દલ, હુસેન સમા, સમસુદ્દીન ભટ્ટી, નિશાર ખફી, આબિદ ખફી, જમશેદ જુમઈ, નાસીર શેખ, હુસેનબાપુ, સાહિલ હિંગોરા,મહમદ શેખ, ઇકબાલ મંધરા, ફહીમ શેખ સહિતના યુવાનો વુલનમિલ સમાજનો કાર્યભાર સંભાળશે. વુલનમિલ સુન્ની મુસ્લિમ સમાજમાં શૈક્ષણિક અને સામાજિક કાર્યમાં અગ્રેસર કરવા યંગ કમિટીના તમામ નવા વરાયેલા સદસ્યોએ ઉત્સુકતા દાખવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application